ETV Bharat / state

અમદાવાદમાં ભણવા બાબતે માસીએ ઠપકો આપતા યુવક ઘરેથી રફુચક્કર

અમદાવાદ: શહેરમાં ધોરણ-10માં અભ્યાસ કરતા કિશોરને માસીએ ભણવા બાબતે ઠપકો આપતા તે ઘર છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિશોર તેની માસી સાથે રહેતો હતો અને અગાઉ પણ તે આ જ રીતે ઘર છોડી જતો રહ્યો હતો.

author img

By

Published : Nov 10, 2019, 2:25 PM IST

ભણવા બાબતે ઠપકો આપતા કિશોર ઘર છોડીને ચાલ્યો ગયો

ચાર દિવસ સુધી તે પરત ન આવતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં આવેલા એક ફ્લેટમાં એક મહિલા પરિવાર સાથે રહે છે. સગીર ત્રણ વર્ષનો હતો ત્યારથી માસીએ તેને સાથે રાખી ભણાવ્યો હતો. સગીર હાલ 16 વર્ષનો છે અને તે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

સગીર ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી માસીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા આપવાની છે. અભ્યાસમાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ આરામ કરે છે તે બરાબર નથી. જેથી સગીરે જણાવ્યું કે, હું મારી રીતે અભ્યાસ કરીશ તમારે કંઇ કહેવાની જરૂર નથી. ત્યારબાદ તે 3 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે માસીને એમ હતું કે, ગુસ્સો શાંત થશે પછી તે પરત આવી જશે. પરંતુ તે પાંચ દિવસ છતા પરત આવ્યો ન હતો. જેથી માસીએ આ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

ચાર દિવસ સુધી તે પરત ન આવતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં આવેલા એક ફ્લેટમાં એક મહિલા પરિવાર સાથે રહે છે. સગીર ત્રણ વર્ષનો હતો ત્યારથી માસીએ તેને સાથે રાખી ભણાવ્યો હતો. સગીર હાલ 16 વર્ષનો છે અને તે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરે છે.

સગીર ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી માસીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા આપવાની છે. અભ્યાસમાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ આરામ કરે છે તે બરાબર નથી. જેથી સગીરે જણાવ્યું કે, હું મારી રીતે અભ્યાસ કરીશ તમારે કંઇ કહેવાની જરૂર નથી. ત્યારબાદ તે 3 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે માસીને એમ હતું કે, ગુસ્સો શાંત થશે પછી તે પરત આવી જશે. પરંતુ તે પાંચ દિવસ છતા પરત આવ્યો ન હતો. જેથી માસીએ આ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.

Intro:અમદાવાદ:શહેરમાં ધોરણ 10માં અભ્યાસ કરતા કિશોરને માસીએ ભણવા બાબતે ઠપકો આપતા તે ઘર છોડી જતો રહ્યો હોવાની ફરિયાદ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કિશોર તેની માસી સાથે રહેતો હતો અને અગાઉ પણ તે આ જ રીતે ઘર છોડી જતો રહ્યો હતો પરંતુ એક દિવસ બાદ પરત આવી ગયો હતો. આ વખતે ચાર દિવસ સુધી તે પરત ન આવતા છેવટે ફરિયાદ નોંધવામાં આવી છે.Body:અમદાવાદના ઓઢવમાં આવેલા એક ફ્લેટમાં એક મહિલા પરિવાર સાથે રહે છે. મહિલાની નાની બહેનનું 12 વર્ષ પહેલાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું. ત્યારથી તેમનો સગીર દીકરો આ મહિલા એટલે કે તેના માસીના ત્યાં રહે છે. સગીર ત્રણ વર્ષનો હતો ત્યારથી માસીએ તેને સાથે રાખી ભણાવ્યો હતો.સગીર હાલ 16 વર્ષનો છે અને તે સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરે છે.


સગીર ભણવામાં ધ્યાન આપતો ન હતો. જેથી માસીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા આપવાની છે. અભ્યાસમાં ધ્યાન આપતો નથી અને આખો દિવસ આરામ કરે છે તે બરાબર નથી. જેથી સગીરે જણાવ્યું કે, હું મારી રીતે અભ્યાસ કરીશ તમારે કંઇ કહેવાની જરૂર નથી. ત્યારબાદ તે 3 નવેમ્બરે ઘરેથી નીકળી ગયો હતો. તે સમયે માસીને એમ હતું કે, ગુસ્સો શાંત થશે પછી તે પરત આવી જશે. પરંતુ તે પાંચ દિવસ છતા પરત આવ્યો ન હતો. જેથી માસીએ આ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.