અમદાવાદ : સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Serial Bomb Blast Case) વિશેષ કોર્ટે 18 ફેબ્રુઆરીએ 38 લોકોને ફાંસીની સજા તેમજ 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેને લઈને ચુકાદાના કન્ફર્મેશન માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં (Appeal to Court in Bomb Blast Case) અપીલ કરી છે.
આ પણ વાંચો : Sentence Postponed on 2008 Blast Case : બોમ્બ બ્લાસ્ટ દોષિતોને સજાના ઓર્ડર માટે થઇ રહી છે આ કાર્યવાહી
બચાવ પક્ષ દ્વારા તૈયારીઓ
આ ચુકાદાને જે 38 લોકોને ફાંસીની (Death Penalty in a Bomb Blast) સજા અપાઈ છે. તેને કન્ફર્મ કરવા માટે સરકારે હાઇકોર્ટમાં (High Court Taking Bomb Blast) અપીલ કરી છે. તો સામે પક્ષે બચાવ પક્ષ દ્વારા પણ આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવા માટે તૈયારીઓ થઇ ચૂકી છે.
આ પણ વાંચો : Death penalty in Gujarat: જાણો ગુજરાતમાં અગાઉ ક્યારે અને કોને થઈ ચૂકી છે, ફાંસીની સજા...
ધડાકામાં 56 થી વધુ લોકોના મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast Case Update) થયેલા શ્રેણીબદ્ધ ધડાકામાં 56 થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં તે લોકો 49 લોકો દોષિત ઠર્યા હતા. આ તમામ લોકોને સ્પેશિયલ કોર્ટે 18 ફેબ્રુઆરીના રોજ સજા સંભળાવી હતી.