ETV Bharat / state

Pradhan Mantri Awas Yojana: ગુજરાતને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એવોર્ડ, 11 લાખથી વધુ આવાસ તૈયાર થયા

author img

By

Published : May 6, 2023, 1:49 PM IST

કેન્દ્ર સરકારની યોજનાઓને અમલ કરવામાં ગુજરાત રાજ્યની દેશની તુલનામાં ડંકો વગાડ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તૈયાર થઈ રહેલા આવાસમાં સૌથી વધારે આવાસ ગુજરાતમાં તૈયાર થયા છે. 11,00,000 થી વધારે આવાસ તૈયાર કરીને ગુજરાતે સન્માનજનક કામ કર્યું છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં સતત વિકાસની કામગીરી ચાલુ રહેતા અનેક લોકોને ઘરના ઘર મળી રહ્યા છે. વર્ષ 2015માં આ યોજના શરૂ કરવામાં આવી હતી.

Pradhan Mantri Awas Yojana: ગુજરાતને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એવોર્ડ, 11 લાખથી વધુ આવાસ તૈયાર થયા
Pradhan Mantri Awas Yojana: ગુજરાતને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો એવોર્ડ, 11 લાખથી વધુ આવાસ તૈયાર થયા

અમદાવાદ ડેસ્ક: પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

"અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. ત્યારબાદ અમે આ યોજના વિશે જાણ્યું. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂપિયા 1,20,000ની આર્થિક સહાય મળી છે, જેમાં પહેલા રૂપિયા 30,000નો હપ્તો, ત્યારબાદ રૂપિયા 50,000 અને છેલ્લે સરકાર તરફથી અમને ઘર બાંધવા માટે રૂપિયા 40,000 નો હપ્તો મળ્યો છે. અમને બધા હપ્તા મળી ગયા, ને હવે અમારે ધાબાવાળું પાકું મકાન બની ગયું છે. આ ઘરમાં હવે અમે ખૂબ શાંતિથી રહીએ છીએ અને આ સહાય માટે અમે મોદી સાહેબનો તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ખૂબ આભાર માનીએ છીએ.”--કુંદનબેન દેવમુરારી (સુરેન્દ્રનગરના જસાપર ગામના લાભાર્થી)

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમદાવાદ ડેસ્ક: પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં ગુજરાત દેશના અન્ય રાજ્યોની સરખામણીએ અગ્રેસર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 11.56 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ પૈકી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.50 લાખ આવાસો, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 4.06 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય પૂરું કરવામાં આવ્યું છે.

"અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતા. ત્યારબાદ અમે આ યોજના વિશે જાણ્યું. અમને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રૂપિયા 1,20,000ની આર્થિક સહાય મળી છે, જેમાં પહેલા રૂપિયા 30,000નો હપ્તો, ત્યારબાદ રૂપિયા 50,000 અને છેલ્લે સરકાર તરફથી અમને ઘર બાંધવા માટે રૂપિયા 40,000 નો હપ્તો મળ્યો છે. અમને બધા હપ્તા મળી ગયા, ને હવે અમારે ધાબાવાળું પાકું મકાન બની ગયું છે. આ ઘરમાં હવે અમે ખૂબ શાંતિથી રહીએ છીએ અને આ સહાય માટે અમે મોદી સાહેબનો તેમજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ખૂબ આભાર માનીએ છીએ.”--કુંદનબેન દેવમુરારી (સુરેન્દ્રનગરના જસાપર ગામના લાભાર્થી)

" class="align-text-top noRightClick twitterSection" data=" ">

રૂપિયા 1066 કરોડની જોગવાઈ: શહેરી વિસ્તારના લોકોને ઝૂંપડપટ્ટીમાંથી મુક્ત કરવા તેમજ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેવી કિંમતે ઘર મળી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જાહેર કરી હતી. ત્યારબાદ, ગ્રામીણ વિસ્તારના લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવા ઉદ્દેશ્યથી વર્ષ 2016માં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં મૂકવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે અંદાજિત માંગ મુજબ7.64 લાખ આવાસોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. જેની સામે આજ દિન સુધીમાં કુલ 9.54 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલ આવાસોમાંથી 7.50 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા આવાસોની કામગીરી વિવિધ તબક્કાઓમાં પ્રગતિ હેઠળ છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત 1 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રૂપિયા 1066 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આવાસો બાંધવાનો લક્ષ્યાંક: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આજ દિન સુધીમાં વિવિધ યોજનાઓનું કન્વર્જન્સ કરીને માળખાગત સુવિધાઓ સાથે 4,06,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ માટે આ યોજના હેઠળ કુલ રૂપિયા 4877.72 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 2022-23 માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 1,84,605 આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જે અંતર્ગત લાભાર્થીઓને રૂપિયા 2215.26 કરોડની સહાય ચૂકવવામાં આવશે.

ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજનાને 7 એવોર્ડ

1. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ CLSS

2. બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન ઓફ ARHC અંડર મોડલ-01

3. બેસ્ટ AHP પ્રોજેક્ટ અંડર PPP મોડેલ

4. બેસ્ટ સ્ટેટ ફોર કન્વર્જન્સ વિથ અધર મિશન

5. સ્ટેટ વિથ મેક્સિમમ ટેક્નોગ્રાહી વિઝિટ એટ LHP સાઇટ

6. બેસ્ટ પર્ફોર્મિંગ SLTC અંડર PMAY (U)

7. બેસ્ટ પર્ફોર્મિંગ મ્યુનિસિપલ કાઉન્સિલ (ઉના નગરપાલિકા)

મકાનનું બાંધકામ: પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજય સરકાર દ્વારા મહિલા લાભાર્થીઓને ધ્યાનમાં રાખીને આવાસની સાથે સાથે બાથરૂમના બાંધકામ માટે પ્રતિ લાભાર્થી દીઠ રૂપિયા 5000ની વધારાની સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2022-23 દરમિયાન 38,000થી વધુ લાભાર્થીઓને રૂપિયા 19.03કરોડની સહાય ચૂકવવામાં આવેલ છે. આ ઉપરાંત, રાજય સરકાર દ્વારા પ્રથમ હપ્તાની ચુકવણી બાદ છ માસની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ કરનારા લાભાર્થીઓને ‘મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના’ હેઠળ લાભાર્થી દીઠ રૂપિયા 20,000ની પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવે છે. વર્ષ 2022-23 દરમિયાન 22,500થી વધુ લાભાર્થીઓને રૂપિયા 45.13 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.