ETV Bharat / state

Morbi Bridge Collapse : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીએ મૃતકોને વળતરની 50 ટકા રકમ ચૂકવી

author img

By

Published : Mar 28, 2023, 7:26 AM IST

મોરબી ઝુલતાપુલ દુર્ઘટના અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતકોના વળતર મુદ્દે ઓરેવા કંપનીએ 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી છે, એવી જાણ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.

મોરબી બ્રિજ દુર્ઘટના કેસ: આખરે ઓરેવા કંપનીએ વળતરની 50 ટકા રકમ ચૂકવી
મોરબી બ્રિજ દુર્ઘટના કેસ: આખરે ઓરેવા કંપનીએ વળતરની 50 ટકા રકમ ચૂકવી

અમદાવાદ: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી હતી. તબક્કા વાર ધીમે ધીમે આ અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેક હુકમો કરવામાં આવ્યા હતા. કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ઓરેવા કંપની દ્વારા અમૃતોના સ્વજનોને જે વળતર ચૂકવવામાં આવ્યું હતું, તે મુદ્દે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી.

મૃતકોના સ્વજનોને વળતર: ઓરેવા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે, મૃતકોના સ્વજનોને વળતરમાં આપવાની કુલ 7 કરોડ અને 31 લાખ રકમ એટલે કે 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દેવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવામાં આવશે, એવી ખાતરી ઓરેવા કંપનીએ કોર્ટ સમક્ષ આપી છે. આ સાથે જ ઓરેવા કંપની દ્વારા કોટ સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી કે, આ બ્રીજના સમારકામ લેવા અંગે અમને અમુક વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવ્યા હતા. આ અંગેની એફિડેવિટ સાથેની વિગતો અમે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતનો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

વધુ સુનાવણી 18 એપ્રિલે: મહત્વનું છે કે, ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વળતર મુદ્દે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દસ લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ત્રણ-ત્રણ લાખ સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ પ્રમાણે કંપનીએ 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દીધી છે, જ્યારે બાકીની 50 ટકા રકમ આગામી સુનાવણી સુધીમાં જમા કરાવી દેશે, એવી પણ ઓરેવા કંપની દ્વારા કોર્ટ સમક્ષ જાણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

અતીક અહેમદે કહ્યું 'શાનો ડર', અને થયો અકસ્માત, જુઓ LIVE VIDEO

137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા: અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે માત્ર મોરબી શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ચકચાર મચી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે, ત્યારે ઓરેવા કંપની તરફથી બીજી મહત્વની બાબતો પણ રજૂઆત કરી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી નામોની એફિડેવિટ અંગે આગામી સમયમાં મહત્વના ખુલાસા પણ થઈ શકે છે.

અમદાવાદ: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે હાઇકોર્ટ દ્વારા સુઓમોટો કરવામાં આવી હતી. તબક્કા વાર ધીમે ધીમે આ અરજીના પગલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેક હુકમો કરવામાં આવ્યા હતા. કેબલ બ્રિજ દુર્ઘટના મુદ્દે વધુ એક વખત ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ઓરેવા કંપની દ્વારા અમૃતોના સ્વજનોને જે વળતર ચૂકવવામાં આવ્યું હતું, તે મુદ્દે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી.

મૃતકોના સ્વજનોને વળતર: ઓરેવા કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાણ કરવામાં આવી હતી કે, મૃતકોના સ્વજનોને વળતરમાં આપવાની કુલ 7 કરોડ અને 31 લાખ રકમ એટલે કે 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દેવામાં આવી છે. બાકીની રકમ 11 એપ્રિલ સુધીમાં જમા કરાવી દેવામાં આવશે, એવી ખાતરી ઓરેવા કંપનીએ કોર્ટ સમક્ષ આપી છે. આ સાથે જ ઓરેવા કંપની દ્વારા કોટ સમક્ષ મહત્વની રજૂઆત કરવામાં આવી હતી કે, આ બ્રીજના સમારકામ લેવા અંગે અમને અમુક વ્યક્તિઓ દ્વારા મનાવવામાં આવ્યા હતા. આ અંગેની એફિડેવિટ સાથેની વિગતો અમે વ્યક્તિઓના નામ સાથે મૂકેલી છે, તો આ બાબતનો કોર્ટમાં ખુલાસો કરવામાં આવે એવી પણ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં 11 દોષિતોની મુક્તિની અરજી પર સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

વધુ સુનાવણી 18 એપ્રિલે: મહત્વનું છે કે, ગત સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે વળતર મુદ્દે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને દસ લાખ અને ઇજાગ્રસ્ત લોકોને ત્રણ-ત્રણ લાખ સહાય ચૂકવવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ પ્રમાણે કંપનીએ 50 ટકા જેટલી રકમ ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને જમા કરાવી દીધી છે, જ્યારે બાકીની 50 ટકા રકમ આગામી સુનાવણી સુધીમાં જમા કરાવી દેશે, એવી પણ ઓરેવા કંપની દ્વારા કોર્ટ સમક્ષ જાણ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે.

અતીક અહેમદે કહ્યું 'શાનો ડર', અને થયો અકસ્માત, જુઓ LIVE VIDEO

137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા: અત્રે ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે માત્ર મોરબી શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં આ ઘટનાને પગલે ચકચાર મચી હતી. આ સમગ્ર મામલે વધુ સુનાવણી 18 એપ્રિલે હાથ ધરવામાં આવશે, ત્યારે ઓરેવા કંપની તરફથી બીજી મહત્વની બાબતો પણ રજૂઆત કરી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે. કારણ કે હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી નામોની એફિડેવિટ અંગે આગામી સમયમાં મહત્વના ખુલાસા પણ થઈ શકે છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.