ETV Bharat / state

અમદાવાદના અમરાઈવાડીમાં સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ

author img

By

Published : May 10, 2020, 5:17 PM IST

Updated : May 10, 2020, 5:27 PM IST

સમગ્ર દેશમાં કોરોના વાઇરસના સંક્રમણને લઈને જે લોકડાઉન આપવામાં આવ્યું છે. તેમાં ગરીબોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. રેડઝોન ગણાતા અમદાવાદ શહેરમાં કરિયાણાની દુકાનો અને શાકભાજીની દુકાનો બંધ કરવામાં આવી છે. જેને લઇને લોકોને હવે ભોજન મેળવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે ગરીબ લોકોને સરકાર સામેના નાછૂટકે દેખાવો કરવા પડી રહ્યા છે.

સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ

અમદાવાદ : અમરાઈવાડીમા રહેતા અનેક પરિવારો પોતાના ઘરમાં કરિયાણુ શાકભાજી પુરુ થઈ જતા સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કાર્યાલય પર આવીને હોબાળો કરી ભોજન માટે સુત્રોચ્ચાર કર્યા અને રોડ પર બેસી જતા અમરાઈવાડી પોલીસનો મોટો કાફલો ઘસી આવ્યો હતો.

સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડ સહિતની પ્રજાએ આજે રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સામે દેખાવો કર્યા હતા. તેમની માગ હતી કે, તેમને ભોજન પૂરું પાડવામાં આવે નહિતર કરિયાણાની દુકાનો અને શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવે.

આ તકે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ જે વિસ્તારમાં રહે છે. ત્યાં ત્રણ લોકોએ આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરનું કહેવું છે કે, છેલ્લા ત્રણ દિવસથી આ સ્થાનિકો તેમની ઓફિસે ભોજનની માંગવા દરરોજ આવતા હતા, પરંતુ તેનો ઉકેલ લાવી શક્યું નહોતો.

સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ

જો આ દેખાવોમાં એક ધ્યાને લેવા જેવી બાબત એ જોવા મળી હતી કે તમામ દેખાવકારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. રાજકીય લાભ ખાટવાની હોડમાં કોર્પોરેટર પોતાની ફરજ ચૂક્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. તો બીજી તરફ દેખાવની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ટોળાને વિખેરી નાખ્યું હતુ. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ ફરજ બને છે કે તેમને આ ગરીબોને જમવાનું પહોંચાડવું જોઈએ.

અમદાવાદ : અમરાઈવાડીમા રહેતા અનેક પરિવારો પોતાના ઘરમાં કરિયાણુ શાકભાજી પુરુ થઈ જતા સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડના કાર્યાલય પર આવીને હોબાળો કરી ભોજન માટે સુત્રોચ્ચાર કર્યા અને રોડ પર બેસી જતા અમરાઈવાડી પોલીસનો મોટો કાફલો ઘસી આવ્યો હતો.

સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
અમરાઈવાડી વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડ સહિતની પ્રજાએ આજે રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર સામે દેખાવો કર્યા હતા. તેમની માગ હતી કે, તેમને ભોજન પૂરું પાડવામાં આવે નહિતર કરિયાણાની દુકાનો અને શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવે.

આ તકે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ જે વિસ્તારમાં રહે છે. ત્યાં ત્રણ લોકોએ આર્થિક સંકડામણથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટરનું કહેવું છે કે, છેલ્લા ત્રણ દિવસથી આ સ્થાનિકો તેમની ઓફિસે ભોજનની માંગવા દરરોજ આવતા હતા, પરંતુ તેનો ઉકેલ લાવી શક્યું નહોતો.

સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ
સ્થાનિકોએ ભોજન આપવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ

જો આ દેખાવોમાં એક ધ્યાને લેવા જેવી બાબત એ જોવા મળી હતી કે તમામ દેખાવકારો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હતો. રાજકીય લાભ ખાટવાની હોડમાં કોર્પોરેટર પોતાની ફરજ ચૂક્યા હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. તો બીજી તરફ દેખાવની જાણ પોલીસને થતાં જ પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને ટોળાને વિખેરી નાખ્યું હતુ. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એ ફરજ બને છે કે તેમને આ ગરીબોને જમવાનું પહોંચાડવું જોઈએ.

Last Updated : May 10, 2020, 5:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.