ETV Bharat / state

હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા - સુરત અગ્નિકાંડ

અમદાવાદ: સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં થયેલા અગ્નિકાંડ બાદ ધરપકડ કરાયેલા ડેપ્યુટી ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય, પૂર્વ ઝોનના ફાયર ઓફિસર કીર્તિ મોડ સહિત કુલ 3 આરોપીઓના મંગળવારે હાઈકોર્ટના જસ્ટિસ વી.એમ પંચોલીએ જામીન મંજૂર કર્યા હોવાની વિગતો સામે આવી છે.

હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા
હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા
author img

By

Published : Dec 3, 2019, 8:42 PM IST

હાઈકોર્ટે મંગળવારે સુરત અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જ્યારે બિલ્ડર હરસુખ વેકરિયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સહિત મોટાભાગના આરોપીઓની જામીન અરજી હાલ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને 9મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા

સુરત અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં હજી પણ બે અરજીઓ પેન્ડિંગ છે. જેમાં આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મૃતકોના વાલીઓની અને જાહેરહિતની અરજીનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સુરતમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઉપકરણના અમલીકરણનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.

હાઈકોર્ટે મંગળવારે સુરત અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. જ્યારે બિલ્ડર હરસુખ વેકરિયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સહિત મોટાભાગના આરોપીઓની જામીન અરજી હાલ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને 9મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

હાઈકોર્ટે સુરત અગ્નિકાંડના 3 આરોપીઓના જામીન મંજૂર કર્યા

સુરત અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં હજી પણ બે અરજીઓ પેન્ડિંગ છે. જેમાં આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મૃતકોના વાલીઓની અને જાહેરહિતની અરજીનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટે આ મુદ્દે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સુરતમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઉપકરણના અમલીકરણનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.

Intro:(નોંધ - આ સ્ટોરીની પીટુસી એફટીપીથી ઉતારી છે)

અમદાવાદ- સુરતના તક્ષશિલા કોમ્પલેક્સમાં થયેલા અગ્નિકાંડ બાદ ધરપકડ કરાયેલા ડેપ્યુટી ફાયર ઓફિસર એસ.કે. આચાર્ય , પૂર્વ ઝોનના ફાયર ઓફિસર કીર્તિ મોડ સહિત કુલ 3 આરોપીઓના મંગળવારે હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ પંચોલીએ જામીન મંજુર કર્યા હોવાની વિગતો સામે આવી છેBody:હાઈકોર્ટે મંગળવારે સુરત અગ્નિકાંડ કેસમાં 3 આરોપીઓના જામીન મંજુર કર્યા છે જ્યારે બિલ્ડર હરસુખ વેકરિયા, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ સહિત મોટાભાગના આરોપીઓની જામીન અરજી હાલ પણ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને 9મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. Conclusion:સુરત અગ્નિકાંડને લઈને હાઈકોર્ટમાં હજી પણ બે અરજીઓ પેન્ડિંગ છે જેમાં આરોપીઓને સખ્ત સજા કરવામાં આવે તેવી માંગ સાથે મૃતકોના વાલીઓની અને જાહેરહિતની અરજીનો સમાવેશ થાય છે. અગાઉ હાઈકોર્ટે આ મુદે દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી સુરતમાં હાઈ-રાઈઝ બિલ્ડિંગમાં ફાયર સેફટી ઉપકરણના અમલીકરણનો એક્શન ટેકન રિપોર્ટ રજુ કરવાનો રાજ્ય સરકારને આદેશ કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાં થયેલા અગ્નિકાંડમાં 22 લોકોના મોત થયા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.