ETV Bharat / state

અમદાવાદમાં પૌત્રએ દાદી પર કર્યો જીવલેણ હુમલો

author img

By

Published : Nov 2, 2019, 12:20 PM IST

અમદાવાદ: શહેરમાં ગુનાખોરીએ એટલી હદ વટાવી દીધી છે કે લોકો હવે પોતાના માતા-પિતા અને સ્વજનો પર નજીવી બાબતે હુમલો કરી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પૌત્રએ દાદીને માર મારી લોબીમાં લટકાવીને તેમને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પૌત્રએ દારૂ પીવા માટે દાદી પાસે પૈસા માંગ્યા હતા પણ દાદી પાસે પૈસા ન હોવાથી તેને ના પાડતા પૌત્રએ દાદી પર હુમલો કર્યો હતો. ઘટના બાદ દાદીએ બાપુનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ, પોલીસ ફરિયાદ આધારે તપાસ કરી રહી છે.

અમદાવાદમાં પૌત્રએ દાદી પર કર્યો જીવલેણ હુમલો

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કમલાબહેન શર્મા તેમના પતિ સાથે રહે છે. સંતાનમાં તેઓને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રનું અવસાન થયું હતું. કમલાબહેનનો પૌત્ર દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નહોતો. તે અવારનવાર દારૂ પીવા માટે પરિજનો પાસે પૈસા માંગતો હતો.

થોડા દિવસ અગાઉ કમલાબહેનના પતિ સુરત તેમના પુત્રના ઘરે ગયા હતા, ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી એટલે કે, કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. ત્યારે તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મનાઇ કરી હતી. તે વખતે આરોપી દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદીને મારી નાખવાની ધમકી આપી બહાર ગયો. થોડા સમય બાદ તે ફરી ઘરે આવ્યો અને દાદીને ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પાડોશીએ કમલાબેનને દિનેશના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેણે કમલાબેન પર જીવલેણ હુમલો કરી તેમને લોબીની દિવાલ પર લટકાવી દીધા હતા.

આ વાતની જાણ પરિજનોને થતાં તેમને કમલાબહેનને છોડાવ્યા હતા. બાદમાં કમલાબેને બાપુનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ, પોલીસે આ મામલે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કમલાબહેન શર્મા તેમના પતિ સાથે રહે છે. સંતાનમાં તેઓને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રનું અવસાન થયું હતું. કમલાબહેનનો પૌત્ર દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નહોતો. તે અવારનવાર દારૂ પીવા માટે પરિજનો પાસે પૈસા માંગતો હતો.

થોડા દિવસ અગાઉ કમલાબહેનના પતિ સુરત તેમના પુત્રના ઘરે ગયા હતા, ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી એટલે કે, કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. ત્યારે તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મનાઇ કરી હતી. તે વખતે આરોપી દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદીને મારી નાખવાની ધમકી આપી બહાર ગયો. થોડા સમય બાદ તે ફરી ઘરે આવ્યો અને દાદીને ગળું દબાવીને હત્યા કરવાની કોશિશ કરી હતી. તે દરમિયાન પાડોશીએ કમલાબેનને દિનેશના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી તેણે કમલાબેન પર જીવલેણ હુમલો કરી તેમને લોબીની દિવાલ પર લટકાવી દીધા હતા.

આ વાતની જાણ પરિજનોને થતાં તેમને કમલાબહેનને છોડાવ્યા હતા. બાદમાં કમલાબેને બાપુનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. હાલ, પોલીસે આ મામલે ફરિયાદ આધારે તપાસ હાથ ધરી છે.

Intro:અમદાવાદ: શહેરમાં ગુનાખોરીએ એટલી હદ વટાવી દીધી છે કે હવે લોકો પોતાના માતા-પિતા અને સ્વજનો પર પણ નજીવી બાબતે હુમલો તથા હત્યા કરી દે છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પૌત્રએ દાદીને માર મારી લોબીમાં લટકાવી દીધા હતા. પૌત્રએ દારૂ પીવા માટે દાદી પાસે પૈસા માંગ્યા હતા પણ દાદી પાસે પૈસા ન હોવાથી તેને ના પાડતા પૌત્રએ દાદી પર હુમલો કર્યો હતો અગાઉ પણ અનેક વાર દાદીએ તેના પૌત્રને દારૂ પીવા માટે પૈસા આપ્યા હતા. હાલ તો બાપુનગર પોલીસે આ સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી છે.Body:મળતી વિગત પ્રમાણે અમદાવાદના બાપુનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા કમલાબહેન શર્મા તેમના પતિ સાથે રહે છે. સંતાનમાં તેઓને ચાર પુત્ર અને ચાર પુત્રીઓ છે, જેમાંથી એક પુત્રનું અવસાન થયું હતું. કમલાબહેનનો એક પુત્ર અશોક તેમના જ મકાનના ઉપરના માળે રહે છે. અશોકભાઇને દિનેશ ઉર્ફે સોનુ અને યતીન ઉર્ફે સન્ની નામના બે પુત્રો છે. જેમાંથી યતીન ભક્તિનગર ખાતે રહે છે. કમલાબહેનનો પૌત્ર દિનેશ ઉર્ફે સોનુ કોઇ કામધંધો કરતો નથી જેથી અવારનવાર દારૂ પીવા માટે પૈસા માંગે તો તેના પરિવારજનો તેને પૈસા આપતાં હતા.


થોડા દિવસ અગાઉ કમલાબહેનના પતિ તેમના પુત્રના સુરત ખાતેના ઘરે ગયા હતા, ત્યારે આ દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદી એટલે કે કમલાબહેન પાસે આવી દારૂ પીવાના પૈસા માંગ્યા હતા. પણ તેમની પાસે પૈસા ન હોવાથી તેમણે મનાઇ કરી હતી, જેથી દિનેશ ઉર્ફે સોનુએ તેના દાદીને મારી નાખવાની ધમકી આપતા તેના દાદા આવશે ત્યારે તેમની પાસેથી લઇને આપશે તેવું કહેતા તે જતો રહ્યો હતો. પણ થોડા સમય બાદ સોનુ ફરી આવ્યો અને તેણે તેના દાદીનું ગળું દબાવી હત્યાની કોશિષ કરી હતી. લોકોએ કમલાબહેનને દિનેશની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. બાદમાં ફરીથી દિનેશે તેના દાદી પર હુમલો કર્યો હતો અને લોબીની દિવાલ પર લટકાવી દીધા હતા. પરિવારજનો અને આસપાસના લોકો આ ઘટના જોઇ જતાં કમલાબહેનને મુક્ત કરાવ્યા હતા. આખરે પરિવારને જાણ કરતા કમલાબહેને બાપુનગર પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે..Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.