અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી છે કે શહેરના સાત ઝોનમાં કુલ 374 પબ્લિક ટોયલેટ અને કમ્યુનિટી ટોઈલેટને સાફ કરવામાં આવ્યા છે. વાયરસ વધુ ન ફેલાય અને સેનેટાઇઝ કરવા માટે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ૧૭ જેટલા હાઈ પ્રેશર ફાયર ટેન્ક તૈયાર રાખવામાં આવ્યા છે. અને ૧૨૦ જેટલા વિસ્તારોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘર વિહોણા, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત જમવાનું આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ સરકાર એપ્રિલ મહિના માટે તમામ કાર્ડધારક કે કાર્ડ વગરના લોકોના મફત રેશનિંગ પૂરું પાડી રહી છે. જરૂરિયાતમંદ લોકો ને ઘઉં, તેલ, નમક , સહિતની તમામ વસ્તુઓ આપવામાં આવી રહી છે. વાયરસ વધુ ન ફેલાય તે માટે પણ સોશિયલ ડિસ્ટનસિંગ, હોમ ક્વોરન્ટટાઇન, સામુહિક ક્વોરન્ટટાઇન સહિતના પગલાં લેવામાં આવ્યા છે.
ડોક્ટરોને ચેપ ન લાગે તેના માટે પણ પૂરતી સંખ્યામાં પર્સનલ પ્રોટેકટિવ કીટ અને માસ્ક સહિતનો પૂરતો સ્ટોક ઉપલ્ધ કરવામાં આવ્યો છે.