અમદાવાદ: રાજ્ય સરકારના કર્મયોગીઓની સૌથી મોટી વસાહત એટલે કે મેગાસિટી અમદાવાદમાં આવેલી વસ્ત્રાપુર સરકારી વસાહત ગણવામાં આવી રહી છે. સરકારી વસાહતમાં કુલ 12 ટાવર આવેલા છે. જેમાં 500 કરતાં વધારે પરિવારો વસાહટ કરે છે. આ પરિવારની સુરક્ષા અને સલામતીની ખાત્રી આપે છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો ટાવરના દરેક ફ્લોર પર ફાયરસેફ્ટીના અદ્યતન સાધનો મુકવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલા છે. જેના માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દર મહિને આકસ્મિક ચેકિંગ કરે છે તથા દર ત્રણ મહિને તમામ સાધનોનું મેન્ટેનન્સ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં કોઈ પણ નાનો મોટો ફોલ્ટ જણાય આવે તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.
અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં ફાયર સેફ્ટી અંગે આપવામાં આવ્યો ડેમો
અમદાવાદ શહેરમાં વધી રહેલા આગના બનાવને ધ્યાનમાં રાખી ફાયર સેફટી અંગે ડેમો આપવો ખૂબ જ જરૂરી બન્યું છે. જેને લઇ વસ્ત્રાપુર સરકારી વસાહત ખાતે ફાયર સેફ્ટીના સાધનોનો ડેમો આપવામાં આવ્યો હતો. આ સાથે જ આગ લાગે ત્યારે પ્રાથમિક કઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આગને કેવી રીતે કાબૂમાં મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અમદાવાદ: રાજ્ય સરકારના કર્મયોગીઓની સૌથી મોટી વસાહત એટલે કે મેગાસિટી અમદાવાદમાં આવેલી વસ્ત્રાપુર સરકારી વસાહત ગણવામાં આવી રહી છે. સરકારી વસાહતમાં કુલ 12 ટાવર આવેલા છે. જેમાં 500 કરતાં વધારે પરિવારો વસાહટ કરે છે. આ પરિવારની સુરક્ષા અને સલામતીની ખાત્રી આપે છે કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ફાયર સેફ્ટીના સાધનો ટાવરના દરેક ફ્લોર પર ફાયરસેફ્ટીના અદ્યતન સાધનો મુકવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનો કોન્ટ્રાક્ટમાં આપવામાં આવેલા છે. જેના માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી ટીમ દર મહિને આકસ્મિક ચેકિંગ કરે છે તથા દર ત્રણ મહિને તમામ સાધનોનું મેન્ટેનન્સ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેમાં કોઈ પણ નાનો મોટો ફોલ્ટ જણાય આવે તો તેનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે છે.