મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શાહીબાગ ખાતેના ગોલ્ડન કટાર આર્મી ટેન્ટમાં કારગિલ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. જેમાં મોટી સંખ્યામાં સેનાના અધિકારીઓ તથા યુવાનો હાજર રહ્યાં હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને દીપ પ્રગટાવ્યો હતો. તે ઉપરાંત તેમણે પોતાના અનુભવો વીઝીટિંગ બુકમાં વર્ણવ્યા હતા.
અમદાવાદ ખાતે CM રૂપાણીએ કારગિલના શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ આ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૨૧ જૂને લેહથી શરૂ થયેલી સેનાની મોટર સાયકલ રેલીનું સમાપન પણ ઝંડો બતાવીને કર્યું હતું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં લોકો આર્મીમાં જોડાય અને આર્મીના અધિકારીઓ તથા કર્મચારીઓની બાળકો માટે પણ શાળા તથા અન્ય વ્યવસ્થા મળી રહે તે અંગે વિચારણા કરવામાં આવશે.