અગાઉ ઘીકાંટા મેટ્રોપોલિટન કોર્ટે પણ આરોપીના જામીન ફગાવતા અરજદાર આરોપીએ સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આગામી દિવસોમાં આરોપી ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતક નયન ICICI બેંકની તાલાલા બ્રાંચમાં ફરજ બજાવતા હતા અને ટ્રેનિંગ માટે અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેમના ભાઈ જયેશ રામ સચિવાલયમાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નોકરી કરતા હતા. જયેશ સવારે નયનને ઓફિસે મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ દોડી રહેલી BRTS બસ તેમના બાઈકને ટક્કર મારી હતી. આ ટક્કર એવી ભયાનક હતી કે, ઘટનાસ્થળ પર જ બંનેના મોત થયા હતા. બંને મૃતકો સગા ભાઈ હતા, અને તેમના પિતા હીરાભાઈ રામ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી છે.
મળતી વિગતો અનુસાર, બાઈક ચાલક જયેશ રામે હેલ્મેટ પહેર્યું હોવા છતાં આ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. ચોંકાવનારી વાત એ છે કે, અકસ્માત બાદ બંને ભાઈઓના મૃતદેહ એક કલાક સુધી રસ્તા પર પડી રહ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ અનુસાર, પોલીસે ઘટનાસ્થળે પહોંચવામાં ઘણું મોડું કર્યું હતું. બીજી તરફ, મૃતકોના મોબાઈલ ફોન લોક હોવાથી તેમના પરિવારજનોને સંપર્ક કરવામાં લોકોને મુશ્કેલી પડી હતી.