અમદાવાદ : સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ સૌ હોદ્દેદારોને જરૂરી સંગઠનાત્મક માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કોરોના મહામારીની સંકટની ઘડીમાં ભાજપાના કાર્યકરોની સંગઠન શક્તિનો હકારાત્મક ઉપયોગ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને જનસેવાના કાર્યમાં મહત્તમ રીતે થાય અને જરૂરતમંદો સુધી મદદ પહોંચે તે આપણે સૌ સુનિશ્ચિત કરીએ.
જીતુ વાઘાણીએ કોરોના વાઈરસના સંક્રમણના સમયમાં લોકોની મદદ કરવા બદલ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વડાપ્રધાનના કોરોના ફંડમાં દાન આપે, સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે. આ સાથે-સાથે જરૂરિયાતમંદોને ભોજન અને માસ્કનું વિતરણ કરે.