ભાજપના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. ઔડાના અધિકારીઓ આ રોડ પર ચાલશે? શું ઓવરબ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રેક્ટરોની કોઈ જ જવાબદારી નથી થતી?’ આ ટ્વીટ બાદ AUDA દ્વારા તાત્કાલિક બિસ્માર રસ્તાનું રીપેરીંગ શરૂ કરવામાં આવ્યું હતું.
રસ્તાની કામગીરી પૂર્ણ થયા બાદ જાડેજાએ ફરીથી ટ્વીટ કર્યુ હતું કે, ‘અમદાવાદના બોપલ બ્રીજથી શાંતિપુરા ચોકડી સુધીના બિસ્માર રસ્તાની સુધારણા માટે ઔડાએ તુરંત જ કાર્યવાહી શરૂ કરી તે પ્રશંસનીય છે’ સાથે રોડ રીપેર થતાં હોય તેવા ચાર ફોટા પણ શેયર કર્યાં હતા.
જાડેજાના ટ્વીટ પર જનતાએ આપેલા...જવાબ
(1) અમદાવાદથી રાજકોટ હાઈવે દયનીય સ્થિતિમાં છે. બે દિવસ પહેલા તે સડક દ્વારા મુસાફરી કરીને ખૂબજ પીડા દાયક અનુભૂતિ થઈ હતી. ખાસ કરીને તે હાઈવે પર રાત્રે મુસાફરી કરવી જોખમી છે એટલા બધા ખાડા છે
(2) નેશનલ હાઇવે પર ખાડા ઉપરાંત રખડતાં ઢોરની પણ સમસ્યા છે, બગોદરા પાસે એટલાં ઢોર હતાં કે સાઈકલ પણ માંડ નીકળે !
(3) આખા અમદાવાદમાં આ જ પરિસ્થિતિ છે.
(4) ઔડા અને બોપલ ઘુમા નગર પાલિકા કોઈ જવાબદારી લેવા તેયાર જ નથી. ઓફિસની અંદર બેસીને કામ કરવું છે. માણસોના હાડકાં તૂટે કે પછી વાહનો demage થાય...કઈ ફરક નથી પડતો
(5) પાણીનો સંગૃહ કરવા માટે ખેત તલાવડી બનાવવાની હોય, રોડ પર નહીં.
(6) બાપુ બોપલથી લઇને નિકોલ રીંગ રોડ સુધી આવા જ બિસમાર રસ્તા જોવા મળશે. હવે ટ્રાફિકનો દંડ લઇ ને રોડ બની જાય એવી આશા છે સરકાર પાસેથી
ખખડધજ અમદાવાદ જીંદાબાદ કોર્પોરેટર મીલીભગત
(7) શહેરના પોશ વિસ્તારોમાં પણ જો રસ્તાઓની હાલત બિસ્માર હોય તો મેગા સીટી કઈ રીતે કહી શકાય? કોન્ટ્રાક્ટરો પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે તો રસ્તાઓની બિસ્માર હાલત ન રહે.
(8) એકદમ સાચું કીધું જાડેજા સાહેબ.. કેટલાય મહિનાઓથી આ જ હાલત છે..ઔડા એ જવાબદારીથી કામ લેવું જોઇએ