મીન: આજના દિવસે આપનું શરીર અને મન સ્વસ્થ તાજગીપૂર્ણ રહેશે. મનમાં ઉત્સાહ હશે તેથી નવા કાર્યનો પ્રારંભ કરવા પ્રેરાશો. પારિવારિક વાતાવરણ સુખશાંતિભર્યું રહે. મિત્રો સાથે કે કુટુંબના સભ્યો સાથે ભોજન અને પર્યટન પર જવાનું થાય. ધનલાભ થાય. ધાર્મિક કાર્યો કે પ્રવાસ થાય. પારિવારિક આનંદનો અનુભવ થશે.
મેષ: આપનો આજનો દિવસ થોડો ચડાવઉતાર વાળો છે. આજે આપ માનસિક રીતે સ્વસ્થ ન હોવાથી સંખ્યાબંધ વિચારોમાં ઘેરાયેલા રહેશો. આ સ્થિતિ આપને કેટલાક નિર્ણય લેવામાં અવરોધરૂપ બની શકે છે. સામે શારીરિક રીતે પણ ઓછુ સ્ફૂર્તિના કારણે કામકાજમાં ઉત્સાહ ઓછો રહે. ખર્ચ પર અંકુશ રાખવાની વિશેષ સલાહ છે. સ્વજનો સાથે શક્ય હોય તો વધુ સમય પસાર કરવાની સલાહ છે. મૂડીરોકાણ કરવામાં ખાસ ધ્યાન રાખવું. પરોપકારના કાર્યોમાં ગજા બહારનો ખર્ચ ના થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું. કોઇની સાથે પૈસાની લેવડદેવડ કરવામાં સંભાળવું. આધ્યાત્મિકતામાં વધારે રસ રહે.
વૃષભ: આજના દિવસે આપ ખૂબ આનંદમાં હશો. આપની આવક અને વેપારધંધામાં વૃદ્ધિ થશે અને કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે હસીખુશીની પળોમાં મશગૂલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સંપર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આપને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આપને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે પસાર કરશો.
મિથુન: આજે સમગ્ર દિવસ દરમ્યાન આપની શારીરિક અને માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્યવસાયના ક્ષેત્રે આપની કામગીરીના વખાણ થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. ઉપરી અધિકારીઓ દ્વારા તમારા કામની સરાહના થતાં આનંદ અનુભવશો. સામાજિક ક્ષેત્રે માન- સન્માન પ્રાપ્ત કરો. કુટુંબના સભ્યો, મિત્રો વગેરે સાથે આનંદથી સમય પસાર થાય. નોકરીમાં પદોન્નતિ થાય. આપનું વર્ચસ્વ વધે. સરકારી કાર્યો સરળતાથી પાર પડે અને તેનાથી લાભ થાય. દાંપત્યજીવનમાં સુખ અને આનંદનો અનુભવ કરો.
કર્ક: આજે આપના માટે ભાગ્યવૃદ્ધિનો દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. દૂર દેશથી સારા સમાચાર આવે. નાનો પ્રવાસ કે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત આપ આનંદ અનુભવશો. શરીરના આરોગ્યની સુખાકારી જળવાય. માનસિક રીતે પણ આપ પ્રસન્ન હશો. મિત્રો અને કુટુંબના સભ્યો સાથે સારી રીતે દિવસ પસાર થાય. નોકરિયાતોને પણ અમુક અંશે લાભ મળે. આકસ્િમક ધનલાભની સંભાવના છે. ધાર્મિક કાર્યોમાં અને વિદેશ જવાનો પ્રયાસ કરનારને સફળતા મળશે.
સિંહ: આજે આપે આરોગ્યની વિશેષ સંભાળ લેવાની રહેશે. તબિયત પાછળ ધનખર્ચ થવાની સંભાવના છે. નિષેધાત્મક વિચારો આપને ગેરમાર્ગે ન દોરે તેની કાળજી લેવાની સલાહ છે. પરિવારના સભ્યો સાથે શાંતિ અને ધીરજપૂર્ણ વર્તન કરવું અને દરેકને આદર આપવો તેમજ તેમની જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. અનૈતિક કાર્યથી દૂર રહેવાની સલાહ છે. ઇષ્ટદેવનું નામસ્મરણ અને આધ્યાત્મિક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.
કન્યા: દાંપત્યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો. વસ્ત્રાભૂષણો અને વાહનની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથેનો પરિચય પ્રણયમાં પરિણમે. વેપારમાં ભાગીદારો સાથેના સંબંધો સારા રહે. ધનલાભ થાય.
તુલા: સામાન્ય રીતે આજે તંદુરસ્તી સારી રહેશે અને બીમાર વ્યક્તિને પણ તબિયતમાં સુધારો થતો જણાશે. ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. વિરોધીઓ અને પ્રતિસ્પર્ધીઓનો પરાજય થશે.
વૃશ્ચિક: આરોગ્ય અંગે થોડી ફરિયાદો રહેશે માટે ખાવાપીવા પર ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. સંતાનોની સમસ્યા આપને વ્યસ્ત રાખી શકે છે. શેર સટ્ટામાં ન પડવાની ખાસ આગ્રહભરી સલાહ છે. યાત્રા પ્રવાસ શક્ય હોય તો નિવારવો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પાડી શકશો.
ધન: તન- મનમાં તાજગી સ્ફૂર્તિનું સ્તર અગાઉની તુલનાએ ઓછુ રહેશે. મનમાં કારણ વગરના વિચારો અને ચિંતા ના પ્રવેશે તેનું ધ્યાન રાખવું. પારિવારિક વાતાવરણ સૌહાર્દપૂર્ણ રાખવા માટે તમારે વધુ પ્રયાસો કરવા પડશે. માતા સાથે અત્યારે તમારે વધુ સૌમ્ય વર્તન કરવું પડશે અને શક્ય હોય ત્યાં સુધી તેમની દરેક જરૂરિયાતો સંતોષવાનો પ્રયાસ કરવો. ખોટા કાર્યોથી દૂર રહેવું. વધુ ઊંઘ લેવી અને સમયસર ભોજન લેવું. અગત્યના દસ્તાવેજો ન કરવા સલાહ આપવામાં આવે છે.
મકર: આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્વસ્થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય. શેર સટ્ટામાં રોકેલા નાણાં લાભ અપાવશે. મિત્રો, સ્વજનો અને ભાઇ- બહેનો સાથે સુમેળ રહેશે. મનની મૂંઝવણ ઉકેલાશે. વિદ્યાર્થીઓને જ્વલંત સિદ્ધિ હાંસલ થશે.
કુંભ: વાણી પર સંયમ રાખશો તો આજે ઘણી બધી સમસ્યાઓમાંથી ઉગરી જશો. વાદવિવાદમાં ઉંડા ન ઉતરવું. બિનજરૂરી ખર્ચ પર અંકુશ રાખવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી પડે. અસંતોષની લાગણીથી દૂર રહીને માત્ર કર્મના સિદ્ધાંત પર ધ્યાન આપવું. આરોગ્ય સાચવવાની સલાહ છે. વિદ્યાર્થીઓને વિદ્યાપ્રાપ્તિમાં બીજાની મદદ લેવી પડશે. ધંધાકીય ખર્ચની શક્યતા રહે.