ETV Bharat / state

કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપોઃ હાઈકોર્ટ - કોરોના નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપો

અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેની સામે સુરત અને રાજ્યના અન્ય ગ્રામીણ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. જેથી સંક્રમણ ફરીવાર અમદાવાદમાં ન ફેલાય તે માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના કોરના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપવામાં આવે.

કોરોના નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપોઃ  હાઈકોર્ટ
કોરોના નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપોઃ હાઈકોર્ટ
author img

By

Published : Aug 5, 2020, 3:09 PM IST

અમદાવાદઃ કોરોનાના કેસમાં કેટલીક હદ સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરીવાર શહેરમાં કોરોનાના આંકડા વધે નહીં તેના માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સુરત કે, અન્ય સ્થળો પરથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશનાર લોકોના કોરોના RT-PCR ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તોજ અમદાવાદમાં પ્રવેશ મળી શકશે.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપો, હાઇકોર્ટનો આદેશ
હાઈકોર્ટે નોંધ્યું છે કે, ઘણા દિવસોની મહેનત બાદ અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેની સામે સુરત અને રાજ્યના અન્ય ગ્રામીણ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. જેથી સંક્રમણને ફરીવાર અમદાવાદમાં ન ફેલાવવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના કોરના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશવામાં આવે.હાઈકોર્ટે વધુમાં નોંધ્યું છે કે, સુરતમાં હાલ કોરોના વકરી રહ્યો છે, ત્યારે સુરત થી અમદાવાદ આવનાર લોકો પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવો જોઈએ. જેથી કરીને સંક્રમણ ફરીવાર અમદાવાદ પહોંચે નહીં. સુરતમાં કોરોનાની સ્થિતિ વિશે કોર્ટે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે.પાછલા 15 દિવસની અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની ગુજરાત હાઈકોર્ટે પ્રશંસા પણ કરી છે. જો કે, સંક્રમણ ફરીવાર ન વધે એ માટે યોગ્ય પગલાં લેવાનું સરકારને નિર્દેશ કર્યું છે.

અમદાવાદઃ કોરોનાના કેસમાં કેટલીક હદ સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ફરીવાર શહેરમાં કોરોનાના આંકડા વધે નહીં તેના માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સુરત કે, અન્ય સ્થળો પરથી અમદાવાદ જિલ્લામાં પ્રવેશનાર લોકોના કોરોના RT-PCR ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તોજ અમદાવાદમાં પ્રવેશ મળી શકશે.

કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશ આપો, હાઇકોર્ટનો આદેશ
હાઈકોર્ટે નોંધ્યું છે કે, ઘણા દિવસોની મહેનત બાદ અમદાવાદ જિલ્લા અને શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેની સામે સુરત અને રાજ્યના અન્ય ગ્રામીણ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે. જેથી સંક્રમણને ફરીવાર અમદાવાદમાં ન ફેલાવવા માટે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અમદાવાદમાં પ્રવેશનાર દરેક વ્યક્તિના કોરના ટેસ્ટ કરવાનો આદેશ કર્યો છે અને જો નેગેટિવ આવે તો જ અમદાવાદમાં પ્રવેશવામાં આવે.હાઈકોર્ટે વધુમાં નોંધ્યું છે કે, સુરતમાં હાલ કોરોના વકરી રહ્યો છે, ત્યારે સુરત થી અમદાવાદ આવનાર લોકો પર કામચલાઉ પ્રતિબંધ લાદી દેવો જોઈએ. જેથી કરીને સંક્રમણ ફરીવાર અમદાવાદ પહોંચે નહીં. સુરતમાં કોરોનાની સ્થિતિ વિશે કોર્ટે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે.પાછલા 15 દિવસની અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની ગુજરાત હાઈકોર્ટે પ્રશંસા પણ કરી છે. જો કે, સંક્રમણ ફરીવાર ન વધે એ માટે યોગ્ય પગલાં લેવાનું સરકારને નિર્દેશ કર્યું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.