ETV Bharat / state

Ahmedabad Cholera Cases: અમદાવાદમાં સપ્ટેમ્બરમાં કોલેરાના 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 5:43 PM IST

અમદાવાદમાં છેલ્લા લાંબા સમય બાદ ફરી વરસાદી માહોલ સર્જાતા પાણીજન્ય કેસ જોવા મળી રહ્યા છે. ચાલુ માસમાં કોલેરા કેસમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. 17 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા છે.

Cholera Cases
Cholera Cases
પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે 10 દિવસમાં જ શહેરમાં કોલેરાના 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ
AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ

'AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસમાં 2600 વધુ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં લોહીની તપાસ, ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. - ડૉ ભાવિન સોલંકી, HOD, આરોગ્ય વિભાગ, AMC

પાણીજન્ય કેસ 500ને પાર: અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 268, કમળાના 118 , ટાઇફોઇડના 285 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 8242 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 36 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.

17 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા
17 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા

મચ્છરજન્ય કેસ આંક 400ને પાર: ચાલુ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 400ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 83, ઝેરી મેલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 393 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીના તપાસ માટે 52083 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 5283 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.

  1. Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
  2. Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, કોલેરાના 15 દિવસોમાં 18 કેસ તો પાણીજન્ય કેસ 800ને પાર

પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે 10 દિવસમાં જ શહેરમાં કોલેરાના 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ
AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ

'AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસમાં 2600 વધુ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં લોહીની તપાસ, ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. - ડૉ ભાવિન સોલંકી, HOD, આરોગ્ય વિભાગ, AMC

પાણીજન્ય કેસ 500ને પાર: અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 268, કમળાના 118 , ટાઇફોઇડના 285 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 8242 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 36 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.

17 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા
17 દિવસમાં અમદાવાદ શહેરમાં કોલેરાના 6 જેટલા કેસ નોંધાયા

મચ્છરજન્ય કેસ આંક 400ને પાર: ચાલુ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 400ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 83, ઝેરી મેલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 393 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીના તપાસ માટે 52083 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 5283 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.

  1. Ahmedabad News : અમદાવાદ શહેરમાં પાણીજન્ય કેસમાં વધારો, કામગીરીને લઇ એએમસી આરોગ્ય તંત્રનો દાવો શું છે જૂઓ
  2. Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, કોલેરાના 15 દિવસોમાં 18 કેસ તો પાણીજન્ય કેસ 800ને પાર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.