કોલંબો: શ્રીલંકાના પૂર્વ રમત ગમત પ્રધાન મહિંદાનંદા અલુથગામગેએ શનિવારે કહ્યું કે, તેઓએ ICCને એ વાતના પુરાવા આપી દીધા છે. જેમાં 2011 વર્લ્ડકપ ફિક્સ હતો. જ્યારે પોલીસે કહ્યું કે, આ કેસની તપાસ આગળ નહીં વધારીએ, કારણ કે તેનો કોઇ પુરતો સબુત નથી. જેનાથી સાબિત થાય કે, 2011 વર્લ્ડકપ ફિક્સ હતો, આ અંગે એક દિવસ બાદ જ પૂર્વ ખેલ પ્રધાને નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જ્યારે અલુખગામગેએ ફિક્સિંગનો આરોપ લગાવ્યો હતો, ત્યારે આ કેસની તપાસ શરૂ કરી હતી. આ સમયે કોઇ પણ સબૂત સામે આવ્યો નહતો, પરંતુ તેઓએ કહ્યું કે, પોતાના નિવેદનની જવાબદારી પોતે સ્વીકારે છે.
ઉલ્લેખનીય છે કે, આ નિવેદન બાદ ખેલ મંત્રાલયે તપાસ શરૂ કરી દીધી હતી, પરંતુ ફિક્સિંગનો કોઇ પુરાવો મળી આવ્યો નથી. પોલીસે મુખ્ય પસંદગીકાર અરવિંદ ડી સિલ્વા, બેટ્સમેન ઉપુલ થરંગા અને પૂર્વ કેપ્ટન કુમાર સંગકારાની લગભગ 10 કલાક સુધી પૂછતાછ કરી હતી.