ETV Bharat / sports

માહીના રિટાયરમેન્ટ પર કૉચનું મોટું નિવેદન, કહ્યું- ધોનીએ ટીમને અધવચ્ચે છોડી

author img

By

Published : Aug 16, 2020, 7:03 PM IST

મહેન્દ્ર સિંહ ધોની, આ નામે ક્રિકેટની દુનિયમાં ભારતના દરેક સપના સાકાર કર્યા છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો છે. ધોનીના સન્યાસના પર તેમના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જી સાથે ETV BHARATના બ્યૂરો ચીફ રાજેશસિંહની ખાસ વાતચીત...

mahendra singh dhoni
ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીનું નિવેદન

રાંચી (ઝારખંડ): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. જો કે, ધોની IPL મેચ રમશે. ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે. તો આવો જાણીએ શું કહ્યું ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ...

ધોનીના પૂર્વ કોચ સાથે etv bharatની ખાસ વાતચીત

ધોનીના આ નિર્ણય બાદ તેમના ફેન્સને ઝટકો લાગ્યો હતો. આ ઉપરાંત ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ ધોનીને લઇને BCCIને ખાસ અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ધોનીની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધની મેચથી થઇ હતી. ધોનીએ પોતાની શરૂઆતની 4 મેચમાં અનુક્રમે 0, 12, 7, 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીને પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલ્યો હતો અને ધોનીએ આ મેચમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું.

mahendra singh dhoni
ભારતીય ક્રિકેટ ટીમ

ભારતને 2 વિશ્વ કપ અપાવાનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવીદા કહ્યું હતું. શાંત સ્વભાવ માટે જાણિતા ધોનીએ પોતાના અંદાજ મુજબ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફતે શાંતિ પૂર્વક પોતાના સન્યાસનું એલાન કર્યું હતું.

mahendra singh dhoni
મહેન્દ્ર સિંહ ધોની

ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી કહ્યું કે, ‘તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર, આજે સાંજે 7.29 વાગ્યા બાદ મને રિયાયર સમજજો.’

mahendra singh dhoni
મહેન્દ્ર સિંહ ધોની

રાંચી (ઝારખંડ): ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી છે. જો કે, ધોની IPL મેચ રમશે. ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી છે. તો આવો જાણીએ શું કહ્યું ધોનીના પૂર્વ કૉચ કેશવ રંજન બેનર્જીએ...

ધોનીના પૂર્વ કોચ સાથે etv bharatની ખાસ વાતચીત

ધોનીના આ નિર્ણય બાદ તેમના ફેન્સને ઝટકો લાગ્યો હતો. આ ઉપરાંત ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ ધોનીને લઇને BCCIને ખાસ અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, ધોનીની શરૂઆત બાંગ્લાદેશ વિરુદ્ધની મેચથી થઇ હતી. ધોનીએ પોતાની શરૂઆતની 4 મેચમાં અનુક્રમે 0, 12, 7, 3 રન બનાવ્યા હતા. ત્યારબાદ તત્કાલીન કેપ્ટન સૌરવ ગાંગુલીએ ધોનીને પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલ્યો હતો અને ધોનીએ આ મેચમાં ખૂબ જ ઉમદા પ્રદર્શન કર્યું હતું.

mahendra singh dhoni
ભારતીય ક્રિકેટ ટીમ

ભારતને 2 વિશ્વ કપ અપાવાનારા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવીદા કહ્યું હતું. શાંત સ્વભાવ માટે જાણિતા ધોનીએ પોતાના અંદાજ મુજબ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મારફતે શાંતિ પૂર્વક પોતાના સન્યાસનું એલાન કર્યું હતું.

mahendra singh dhoni
મહેન્દ્ર સિંહ ધોની

ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી કહ્યું કે, ‘તમારા બધાના પ્રેમ અને સમર્થન માટે ખૂબ ખૂબ આભાર, આજે સાંજે 7.29 વાગ્યા બાદ મને રિયાયર સમજજો.’

mahendra singh dhoni
મહેન્દ્ર સિંહ ધોની
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.