ETV Bharat / sitara

સુશાંત આત્મહત્યા કેસઃ તપાસ માટે મુંબઇ પહોંચ્યાં પટનાના SP, BMCએ કર્યા ક્વોરોન્ટાઇન

author img

By

Published : Aug 3, 2020, 8:17 AM IST

અભિનેતા સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસની તપાસને લઈને બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યાં છે. આ મામલે સતત CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે. જો કે, તપાસ માટે મુંબઇ પહોંચેલા પટનાના SPને BMCએ ક્વોરોન્ટાઇન કર્યા છે.

અભિનેતા સુશાંત સિંહ
અભિનેતા સુશાંત સિંહ

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસની લડાઇ હવે ખુલીને સામે આવી છે. જેમાં બિહાર પોલીસે આરોપ લગાવ્યો છે કે, સુશાંતસિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ કોઇ મદદ કરી રહી નથી. ત્યાં આ કેસની તપાસ માટે મુંબઇ આવેલા પટનાના એસપી વિનય તિવારીને BMCના અધિકારીઓએ ક્વોરોન્ટાઇન કર્યાં છે. પટના એસપી સિટી વિનય તિવારી રવિવારે મુંબઇ પહોંચ્યા હતાં.

  • IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE

    — IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવારે આઇપીએસ વિનય તિવારી ઓફિશિલય ડ્યૂટી પર પટનાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે 11 વાગ્યે BMCના અઘિકારીઓએ તેમને બળજબરીથી ક્વોરોન્ટાઇન કરી દીધા હતાં.

મુંબઇ પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં વિનય તિવારીએ કહ્યું હતું કે, અમારી ટીમ મુંબઇથી સારૂ કામ કરે છે, પરંતુ અમને હજુ સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી. આ તરફ સુશાંતસિંહ રાજપૂત કેસમાં મુંબઇ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તેમણે આ કેસ સાથેની બધી અપડેટ્સ શેર કરી હતી. બીજી તરફ આ મામલે સતત CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત સુસાઇડ કેસમાં મહારાષ્ટ્ર અને બિહાર પોલીસની લડાઇ હવે ખુલીને સામે આવી છે. જેમાં બિહાર પોલીસે આરોપ લગાવ્યો છે કે, સુશાંતસિંહ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ કોઇ મદદ કરી રહી નથી. ત્યાં આ કેસની તપાસ માટે મુંબઇ આવેલા પટનાના એસપી વિનય તિવારીને BMCના અધિકારીઓએ ક્વોરોન્ટાઇન કર્યાં છે. પટના એસપી સિટી વિનય તિવારી રવિવારે મુંબઇ પહોંચ્યા હતાં.

  • IPS officer Binay Tiwari reached Mumbai today from patna on official duty to lead the police team there but he has been forcibly quarantined by BMC officials at 11pm today.He was not provided accommodation in the IPSMess despite request and was staying in a guest house in Goregaw pic.twitter.com/JUPFRpqiGE

    — IPS Gupteshwar Pandey (@ips_gupteshwar) August 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવારે આઇપીએસ વિનય તિવારી ઓફિશિલય ડ્યૂટી પર પટનાથી મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ રવિવારે 11 વાગ્યે BMCના અઘિકારીઓએ તેમને બળજબરીથી ક્વોરોન્ટાઇન કરી દીધા હતાં.

મુંબઇ પહોંચીને મીડિયા સાથેની વાતચીતમાં વિનય તિવારીએ કહ્યું હતું કે, અમારી ટીમ મુંબઇથી સારૂ કામ કરે છે, પરંતુ અમને હજુ સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો નથી. આ તરફ સુશાંતસિંહ રાજપૂત કેસમાં મુંબઇ પોલીસ કમિશનરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. તેમણે આ કેસ સાથેની બધી અપડેટ્સ શેર કરી હતી. બીજી તરફ આ મામલે સતત CBI તપાસની માંગ પણ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.