મુંબઈ: ફિલ્મકાર આનંદ એલ રાય માટે ફિલ્મ 'રાંઝણા' તેમના હૃદયની ખૂબ નજીક છે. તેઓ આ વાતથી ખૂબ ખુશ છે કે આ ફિલ્મે તેના રિલીઝ થયા બાદ સિનેમાઘરોમાં જે રીતે દર્શકોના મનમાં જગ્યા બનાવી હતી, સાત વર્ષ બાદ પણ એ યથાવત છે.
‘તનુ વેડ્સ મનુ’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્નસ' જેવી ફિલ્મોનું પણ નિર્દેશન કરનારા આનંદે જણાવ્યું, “આ ખૂબ જ સુંદર વાત છે કે આટલા વર્ષો પછી પણ લોકો 'રાંઝણા' ના ગીતો સાંભળે છે અને તેને પ્રેમ આપે. આ ફિલ્મ મારા હૃદયની નજીક છે. મને આનંદ છે કે લોકો હજી પણ તેને પસંદ કરે છે.”
આ ફિલ્મમાં મુખ્ય કલાકારો તરીકે અભય દેઓલ, સોનમ કપૂર, તેમજ તમિલ સુપરસ્ટાર ધનુષે કામ કર્યુ હતું. રહેમાનના કર્ણપ્રિય સંગીત સાથે ધનુષના અભિનયના પણ ખૂબ વખાણ થયા હતા.
આનંદ હવે ‘ અતરંગી રે’ નામની રોમેન્ટિક ડ્રામા લઈને આવી રહ્યા છે જેમાં ધનુષ, અક્ષયકુમાર અને સારા અલી ખાન જોવા મળશે.