ETV Bharat / sitara

સુશાંત કેસ : NCB એ રાહિલ વિશ્રામ સહિત 5 ડ્રગ્સ પેડલર્સની કરી ધરપકડ

author img

By

Published : Sep 18, 2020, 12:33 PM IST

CBI, NCB અને ED સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં ઘણા લોકો સાથે પુછપરછ કરવામાં આવી રહી છે.ડ્રગ્સ કેસમાં રિયાને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. ગુરુવારે ગોવાના ડ્રગ પેડલર ક્રિસ કોસ્ટાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન કોસ્ટાએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. રિયા ચક્રવર્તીએ NCB ને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, સારા અલી ખાન, રકુલ પ્રીત અને ફેશન ડિઝાઇનર સિમોન ખંભાતાએ ડ્રગ્સ લીધું હતું. જોકે, NCB એ હજુ સુધી આ ત્રણેયને પૂછપરછ માટે સમન્સ જારી કર્યું નથી. બીજી તરફ એઈમ્સ ફોરેન્સિક હેડનું કહેવું છે કે સુશાંતના મોત મામલે ટીમ આખરી મેડિકલ અભિપ્રાય આગામી સપ્તાહે CBI સમક્ષ રજૂ કરશે.

સુશાંત કેસ
સુશાંત કેસ

મુંબઇ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. NCBએ ગુરુવારે મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે.

આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. NCB તેની પાસેથી રૂપિયા 4.5 લાખ રોકડા પણ કબજે કર્યા હતા. તે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં સામેલ અન્ય પેડલરો સાથે સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટરએ આ માહિતી આપી છે.

રાહિલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેનો બોલિવૂડ સાથે સંબંધ છે અને તે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુરુવારે હાથ ધરવામાં આવેલા દરોડામાં NCB ડ્રગ્સના ત્રણ જુદા જુદા સિન્ડિકેટ્સનો પર્દાફાશ કર્યો છે.

અન્ય લોકો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. NCB દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ જાહેર થઈ શકે છે. રિયાના ભાઈ શૌવિકે પહેલા પણ ઘણા લોકોના નામ જાહેર કર્યા છે. જોકે, NCB દ્વારા હજી સુધી કોઇને સમન્સ મોકલવામાં આવ્યું નથી.

મુંબઇ : બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ડ્રગ્સના કેસમાં સતત કાર્યવાહી કરી રહી છે. NCBએ ગુરુવારે મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અને પાંચ લોકોની અટકાયત કરી છે.

આ પાંચ લોકોમાંથી એક હિમાચલ પ્રદેશનો રહેવાસી રાહિલ વિશ્રામ છે, જે એક કિલો ચરસ સાથે ઝડપાયો છે. NCB તેની પાસેથી રૂપિયા 4.5 લાખ રોકડા પણ કબજે કર્યા હતા. તે સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલામાં સામેલ અન્ય પેડલરો સાથે સામેલ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ઝોનલ ડિરેક્ટરએ આ માહિતી આપી છે.

રાહિલ વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેનો બોલિવૂડ સાથે સંબંધ છે અને તે ઘણા લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ગુરુવારે હાથ ધરવામાં આવેલા દરોડામાં NCB ડ્રગ્સના ત્રણ જુદા જુદા સિન્ડિકેટ્સનો પર્દાફાશ કર્યો છે.

અન્ય લોકો પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી હોવાનું પણ જાણવા મળ્યું છે. NCB દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં બોલિવૂડની અનેક હસ્તીઓના નામ જાહેર થઈ શકે છે. રિયાના ભાઈ શૌવિકે પહેલા પણ ઘણા લોકોના નામ જાહેર કર્યા છે. જોકે, NCB દ્વારા હજી સુધી કોઇને સમન્સ મોકલવામાં આવ્યું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.