ETV Bharat / sitara

સુશાંતના પરિવારના પક્ષકાર વકીલે સુશાંતની પર્સનલ ડાયરીનો આપ્યો સંકેત

author img

By

Published : Aug 8, 2020, 8:26 PM IST

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના કેસના પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહએ સંકેત આપ્યો હતો કે, સુશાંતની પર્સનલ ડાયરીના છેલ્લા પેજ પર મહત્વપૂર્ણ સંકેત છે. તે દરરોજ ડાયરી લખતા હતા તો કંઇક તો તે ડાયરીમાં હશે કે તેમને આત્મહત્યાનું પગલું કેમ ભર્યું.

સુશાંતના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સુશાંતની પર્સનલ ડાયરીનો આપ્યો સંકેત
સુશાંતના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે સુશાંતની પર્સનલ ડાયરીનો આપ્યો સંકેત

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળના રહસ્ય દિવસેને દિવસે શંકાસ્પદ થતા જઈ રહ્યા છે. આ વચ્ચે દિવંગત અભિનેતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે સંકેત આપ્યો છે. સુશાંતની પર્સનલ ડાયરીના અંતિમ પત્તામાં કાંઈક મહત્વપૂર્ણ હોય શકે છે અને તેનાથીએ સંકેત મળી શકે છે કે, તેના મૃત્યુ પાછળ કોણ હોઇ શકે છે.

પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અને સિનિયર એડવોકેટ વિકાસસિંહે IANS સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ તે ડાયરી મહત્વપૂર્ણ છે. તે ડાયરીમાં દરરોજ તેના મગજમાં હતું તે લખી રહ્યા હતા કાંઈક તો એમાંથી જાણવા મળશે કે તેમને આત્મહત્યા કેમ કરી હતી.

સુશાંત મૃત્યુ કેસ ગુરુવારના રોજ કેન્દ્રીય તપાસ બ્યૂરોની પાસે પહોંચ્યા હતો. હવે અધિકારક્ષેત્ર જેઓ મુદ્દો પણ નથી રહ્યો આ પર વરિષ્ઠ એડવોકેટે જણાવ્યું કે, હવે કેસ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે છે અને ભારત ભરના કોઈપણ કેસની તપાસ કરી શકે છે.

પૂછવામાં આવ્યું હતું કે, શું સુશાંતનેં મારવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. શું મુંબઈ પોલીસ અપરાધીની વ્યાપકતાને ઓછી કરી રહ્યા છે તે પર વકીલે કહ્યું અમારા માટે તે સ્પષ્ટ કહેવું અસંભવ નથી. કારણ કે પરિવારના કોઈપણ સભ્ય તેની સાથે રહેતા ન હતા. સામાન્ય રીતે જે જાણવામાં આવી રહ્યું છે તે ખૂબ ચોંકાવનારું એટલે જ અમે લોકો ચિંતામાં છીએ.

એડવોકેટ તે જણાવ્યું આ તપાસમાં સમસ્યા એ છે કે, શરૂઆતના દિવસોમાં જે કાંઈ પણ ગુમ થયું છે તે તપાસને પ્રભાવિત કરશે. પરંતુ મને વિશ્વાસ છે CBI જેવી એજન્સી હજી પણ સચ્ચાઈ ને ઉજાગર કરીને સક્ષમ થશે.

કેટલાક કોલ ડિટેઈલ્સ રેકોર્ડમાં સામાન્ય જાણ કરી મુજબ સામે આવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વચ્ચે 8 જૂનથી 14 જૂન સુધી એક પણ કોલ થયો ન હતો.

એ પૂછવામાં આવ્યું હતું કે, શ્રુતિ મોદી કોણ છે અને આ કેસમાં તેની ભાગીદારી શું છે વરિષ્ઠ વકીલે IANS ને જણાવ્યું કે, હાલમાં તેમણે જાણ નથી પરંતુ રિયા ચક્રવર્તી દ્વારા સુશાંત સિંહના ઘરે રાખવામાં આવેલા સ્ટાફના સભ્યોમાંથી તે એક છે.

CBI એ તેની FIRમાં રિયા, તેમના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક, સુશાંત ના ઘરે ના મેનેજર સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય ના નામ જોડાયેલા છે. આ નામો પર ભારતીય દંડ સહિતાની વિભિન્ન ધારાઓ અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો છે. જેને આત્મહત્યા માટે પ્રેશર કરવામાં આવ્યો હતો અપરાધી સાજીસ એવા આરોપ લગાવવામાં આવ્યા છે.

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત પાછળના રહસ્ય દિવસેને દિવસે શંકાસ્પદ થતા જઈ રહ્યા છે. આ વચ્ચે દિવંગત અભિનેતાના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે સંકેત આપ્યો છે. સુશાંતની પર્સનલ ડાયરીના અંતિમ પત્તામાં કાંઈક મહત્વપૂર્ણ હોય શકે છે અને તેનાથીએ સંકેત મળી શકે છે કે, તેના મૃત્યુ પાછળ કોણ હોઇ શકે છે.

પૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ (એએસજી) અને સિનિયર એડવોકેટ વિકાસસિંહે IANS સાથે વિશેષ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, મારા મત મુજબ તે ડાયરી મહત્વપૂર્ણ છે. તે ડાયરીમાં દરરોજ તેના મગજમાં હતું તે લખી રહ્યા હતા કાંઈક તો એમાંથી જાણવા મળશે કે તેમને આત્મહત્યા કેમ કરી હતી.

સુશાંત મૃત્યુ કેસ ગુરુવારના રોજ કેન્દ્રીય તપાસ બ્યૂરોની પાસે પહોંચ્યા હતો. હવે અધિકારક્ષેત્ર જેઓ મુદ્દો પણ નથી રહ્યો આ પર વરિષ્ઠ એડવોકેટે જણાવ્યું કે, હવે કેસ કેન્દ્રીય તપાસ એજન્સી પાસે છે અને ભારત ભરના કોઈપણ કેસની તપાસ કરી શકે છે.

પૂછવામાં આવ્યું હતું કે, શું સુશાંતનેં મારવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. શું મુંબઈ પોલીસ અપરાધીની વ્યાપકતાને ઓછી કરી રહ્યા છે તે પર વકીલે કહ્યું અમારા માટે તે સ્પષ્ટ કહેવું અસંભવ નથી. કારણ કે પરિવારના કોઈપણ સભ્ય તેની સાથે રહેતા ન હતા. સામાન્ય રીતે જે જાણવામાં આવી રહ્યું છે તે ખૂબ ચોંકાવનારું એટલે જ અમે લોકો ચિંતામાં છીએ.

એડવોકેટ તે જણાવ્યું આ તપાસમાં સમસ્યા એ છે કે, શરૂઆતના દિવસોમાં જે કાંઈ પણ ગુમ થયું છે તે તપાસને પ્રભાવિત કરશે. પરંતુ મને વિશ્વાસ છે CBI જેવી એજન્સી હજી પણ સચ્ચાઈ ને ઉજાગર કરીને સક્ષમ થશે.

કેટલાક કોલ ડિટેઈલ્સ રેકોર્ડમાં સામાન્ય જાણ કરી મુજબ સામે આવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી વચ્ચે 8 જૂનથી 14 જૂન સુધી એક પણ કોલ થયો ન હતો.

એ પૂછવામાં આવ્યું હતું કે, શ્રુતિ મોદી કોણ છે અને આ કેસમાં તેની ભાગીદારી શું છે વરિષ્ઠ વકીલે IANS ને જણાવ્યું કે, હાલમાં તેમણે જાણ નથી પરંતુ રિયા ચક્રવર્તી દ્વારા સુશાંત સિંહના ઘરે રાખવામાં આવેલા સ્ટાફના સભ્યોમાંથી તે એક છે.

CBI એ તેની FIRમાં રિયા, તેમના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક, સુશાંત ના ઘરે ના મેનેજર સેમ્યુઅલ મિરાંડા, શ્રુતિ મોદી અને અન્ય ના નામ જોડાયેલા છે. આ નામો પર ભારતીય દંડ સહિતાની વિભિન્ન ધારાઓ અંતર્ગત આરોપ લગાવવામાં આવ્યો છે. જેને આત્મહત્યા માટે પ્રેશર કરવામાં આવ્યો હતો અપરાધી સાજીસ એવા આરોપ લગાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.