ETV Bharat / sitara

મુંબઇ પોલીસ કંગનાને પ્રશ્નો મોકલાવે, અભિનેત્રી મેઈલમાં જવાબ આપશે: કંગનાના વકીલ

author img

By

Published : Jul 24, 2020, 9:48 PM IST

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે પૂછપરછ કરવા મુંબઇ પોલીસે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને નોટિસ મોકલાવી હતી પરંતુ કંગનાના વકીલે જણાવ્યું કે તે કોરોના સંક્રમણને પગલે 17 માર્ચથી મનાલીમાં છે અને યાત્રા નહીં કરી શકે. મુંબઇ પોલીસ તેના સવાલોની યાદી કંગનાને મોકલાવે જેનો તે મેઈલમાં જવાબ આપી દેશે.

મુંબઇ પોલીસ કંગનાને સવાલોની યાદી મોકલાવે, અભિનેત્રી મેઈલમાં જવાબ આપી દેશે: કંગનાના વકીલ
મુંબઇ પોલીસ કંગનાને સવાલોની યાદી મોકલાવે, અભિનેત્રી મેઈલમાં જવાબ આપી દેશે: કંગનાના વકીલ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે મુંબઇ પોલીસે અભિનેત્રી કંગના રનૌતને નોટિસ મોકલી હતી કે તે મુંબઇ આવીને તેનું નિવેદન આપે. જો કે કંગનાના વકીલ તરફથી મુંબઇ પોલીસે જવાબ આપવામાં આવ્યો છે કે તે હાલ કોરોના સંક્રમણને લઇને મનાલીમાં છે અને મુંબઈ પરત નહી ફરી શકે. આ પરિસ્થિતિમાં મુંબઇ પોલીસનો કોઈ કર્મચારી મનાલી આવે અથવા કંગના ડિજિટલ માધ્યમથી તેનું નિવેદન આપે તેવું આયોજન થઈ શકે છે.

  • Mumbai Police had sent a Notice at Ms Kangana Ranaut’s Mumbai residence.

    I have sent reply on her behalf , she is committed to helping in getting Sushant Singh Rajput Justice.

    Hopefully Mumbai Police will co-operate @KanganaTeam

    — Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કંગનાને મુંબઈ પોલીસ તમામ સવાલોની યાદી મેઈલમાં મોકલાવે તો તેમને મેઈલ દ્વારા કંગના જવાબ આપી દેશે. તેમ કંગનાના વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ જણાવ્યું હતું.

મુંબઇ પોલીસ કંગનાને પૂછપરછ માટે સમન્સ મોકલવાની છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. અમુક સમાચારોમાં મુંબઈ પોલીસ કંગનાના ખાર સ્થિત ઘરમાં સમન્સ ની કોપી લઇને પહોંચી તેવી પણ વિગતો હતી.

જો કે ગત બુધવારે કંગના રનૌતની સોશિયલ મીડિયા ટીમ દ્વારા કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલના વ્હોટ્સએપ ચેટને ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કંગનાને કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી.

  • There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રંગોલીએ જણાવ્યું હતું કે કંગનાને કોઈ ઓફિશિયલ સમન્સ નથી મળ્યું પરંતુ તેને ઘણા સમયથી ફોન કોલ્સ આવી રહ્યા હતા. કંગના પોતાનું નિવેદન આપવા માંગે છે પરંતુ મુંબઈ પોલીસ દ્વારા અમને કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી.

રંગોલીને મુંબઈ પોલીસ સાથે જોડાયેલા એક અધિકારી સાથેની તેની વાતચીતના સ્ક્રીન શોટ શેર કર્યા હતા. જેમાં અધિકારીએ તેને જણાવ્યું હતું કે કંગનાને આ મુદ્દે પૂછપરછ કરવાની પોલીસની યોજના છે પરંતુ તપાસમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ તેના ઘરે સમન્સ મોકલવા આવી શકે તેમ નથી. આથી રંગોલીએ પોલીસને સવાલોની યાદી મોકલાવવા જણાવ્યું હતું.

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે મુંબઇ પોલીસે અભિનેત્રી કંગના રનૌતને નોટિસ મોકલી હતી કે તે મુંબઇ આવીને તેનું નિવેદન આપે. જો કે કંગનાના વકીલ તરફથી મુંબઇ પોલીસે જવાબ આપવામાં આવ્યો છે કે તે હાલ કોરોના સંક્રમણને લઇને મનાલીમાં છે અને મુંબઈ પરત નહી ફરી શકે. આ પરિસ્થિતિમાં મુંબઇ પોલીસનો કોઈ કર્મચારી મનાલી આવે અથવા કંગના ડિજિટલ માધ્યમથી તેનું નિવેદન આપે તેવું આયોજન થઈ શકે છે.

  • Mumbai Police had sent a Notice at Ms Kangana Ranaut’s Mumbai residence.

    I have sent reply on her behalf , she is committed to helping in getting Sushant Singh Rajput Justice.

    Hopefully Mumbai Police will co-operate @KanganaTeam

    — Ishkaran Singh Bhandari (@ishkarnBHANDARI) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કંગનાને મુંબઈ પોલીસ તમામ સવાલોની યાદી મેઈલમાં મોકલાવે તો તેમને મેઈલ દ્વારા કંગના જવાબ આપી દેશે. તેમ કંગનાના વકીલ ઈશકરણ સિંહ ભંડારીએ જણાવ્યું હતું.

મુંબઇ પોલીસ કંગનાને પૂછપરછ માટે સમન્સ મોકલવાની છે તેવા સમાચાર થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા. અમુક સમાચારોમાં મુંબઈ પોલીસ કંગનાના ખાર સ્થિત ઘરમાં સમન્સ ની કોપી લઇને પહોંચી તેવી પણ વિગતો હતી.

જો કે ગત બુધવારે કંગના રનૌતની સોશિયલ મીડિયા ટીમ દ્વારા કંગનાની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલના વ્હોટ્સએપ ચેટને ટ્વીટર પર શેર કરવામાં આવ્યું હતું જેમાં લખ્યું હતું કે કંગનાને કોઈ સમન્સ મોકલવામાં આવ્યું નથી.

  • There is no formal summon sent to Kangana , Rangoli keeps getting casual calls from the cops for past 2 weeks, Kangana wants to record statement but we don’t get any response from @mumbaipolice, Here’s a screen shot of message Rangoli ji sent to @mumbaipolice pic.twitter.com/w03i2csbWV

    — Team Kangana Ranaut (@KanganaTeam) July 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રંગોલીએ જણાવ્યું હતું કે કંગનાને કોઈ ઓફિશિયલ સમન્સ નથી મળ્યું પરંતુ તેને ઘણા સમયથી ફોન કોલ્સ આવી રહ્યા હતા. કંગના પોતાનું નિવેદન આપવા માંગે છે પરંતુ મુંબઈ પોલીસ દ્વારા અમને કોઈ પ્રતિક્રિયા નથી મળી રહી.

રંગોલીને મુંબઈ પોલીસ સાથે જોડાયેલા એક અધિકારી સાથેની તેની વાતચીતના સ્ક્રીન શોટ શેર કર્યા હતા. જેમાં અધિકારીએ તેને જણાવ્યું હતું કે કંગનાને આ મુદ્દે પૂછપરછ કરવાની પોલીસની યોજના છે પરંતુ તપાસમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ તેના ઘરે સમન્સ મોકલવા આવી શકે તેમ નથી. આથી રંગોલીએ પોલીસને સવાલોની યાદી મોકલાવવા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.