મ્યાનમાર : જેડ ખાણમાં ભૂસ્ખલનથી અંદાજે 50 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં ઘણા મજુરો દટાયા હોવાની આશંકા છે. દેશના અગ્નિશમન વિભાગ અને સૂચના મંત્રાલયના અધિકારીએ આ માહિતી આપી છે.કાચિન રાજ્યના જેડ-સમૃદ્ધ હાપાકાંત વિસ્તારમાં જેડ પત્થર ભેગા કરી રહ્યા હતા. તે દરમિયાન ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી. અગ્નિશમન વિભાગે તેમના ફેસબુક પર સમગ્ર ઘટના વિશે માહિતીઆપી હતી.
96 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં બચાવ અભિયાન શરુ છે.