ETV Bharat / entertainment

Sudipto Sen Health Update: 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટર હોસ્પિટલમાં દાખલ, જાણો હેલ્થ અપડેટ

હાલમાં જ રિલીઝ થયેલી 'ધ કેરાલા સ્ટોરી'ના ડિરેક્ટર સુદીપ્તો સેન હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. વાસ્તવમાં તેને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદ છે. સાથે જ એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાના સ્વાસ્થ્ય વિશેની માહિતી પણ શેર કરી છે. આ દરમિયાન તેમણે ફિલ્મના સંદેશ વિશે મોટી વાત કહી હતી.

author img

By

Published : May 27, 2023, 4:06 PM IST

'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટર હોસ્પિટલમાં દાખલ, જાણો હેલ્થ અપડેટ
'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટર હોસ્પિટલમાં દાખલ, જાણો હેલ્થ અપડેટ

મુંબઈઃ આ વર્ષે અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બનાવનાર ડાયરેક્ટર સુદીપ્તો સેનની તબિયત સારી નથી. તેમને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદો જણાવવામાં આવી રહી છે. જેની સારવાર માટે તે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. ફિલ્મ નિર્દેશક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા હતા.

ડાયરેક્ટરની હેલ્થ અપડેટ: દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર ડીહાઈડ્રેશન અને ઈન્ફેક્શન સામે લડી રહ્યા હતા. એક મીડિયા પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટરે તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ''મને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદ હતી.''

સુદીપ્તો સેનનું નિવેદન: પરંતુ હવે સ્થિતિ કાબુમાં હોવાથી આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુદીપ્તો સેન હજુ પણ 'ધ કેરલા સ્ટોરી'ના બોક્સ ઓફિસના આંકડાઓથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો 'ધ કેરલા સ્ટોરી' જુએ. આ ફિલ્મ દ્વારા હું જે સંદેશ આપવા માંગુ છું તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવો જોઈએ.

સુદીપ્તોની ફિલ્મનો સંદેશ: ડાયેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ''વિશ્વની ઓછામાં ઓછી 10 ટકા ભારતીય વસ્તી મારી ફિલ્મ જુએ, તો જ હું તેને સાચી સફળતા ગણીશ.'' 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તેને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેની રિલીઝ પછી તેના પર ઘણા રાજ્યોમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

  1. Theater In Bengal: 'ધ કેરલા સ્ટોરી' એક જ થિયેટરમાં ચાલી છતાં દર્શકોનો સારો પ્રતિસાદ
  2. Adah Sharma New Movie: 'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક

મુંબઈઃ આ વર્ષે અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' બનાવનાર ડાયરેક્ટર સુદીપ્તો સેનની તબિયત સારી નથી. તેમને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદો જણાવવામાં આવી રહી છે. જેની સારવાર માટે તે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ છે. ફિલ્મ નિર્દેશક તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યા હતા.

ડાયરેક્ટરની હેલ્થ અપડેટ: દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિરેક્ટર ડીહાઈડ્રેશન અને ઈન્ફેક્શન સામે લડી રહ્યા હતા. એક મીડિયા પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં 'ધ કેરલા સ્ટોરી'ના ડાયરેક્ટરે તેમના હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ''મને ડિહાઈડ્રેશન અને ઈન્ફેક્શનની ફરિયાદ હતી.''

સુદીપ્તો સેનનું નિવેદન: પરંતુ હવે સ્થિતિ કાબુમાં હોવાથી આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુદીપ્તો સેન હજુ પણ 'ધ કેરલા સ્ટોરી'ના બોક્સ ઓફિસના આંકડાઓથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું, 'હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો 'ધ કેરલા સ્ટોરી' જુએ. આ ફિલ્મ દ્વારા હું જે સંદેશ આપવા માંગુ છું તે વધુમાં વધુ લોકો સુધી પહોંચવો જોઈએ.

સુદીપ્તોની ફિલ્મનો સંદેશ: ડાયેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ''વિશ્વની ઓછામાં ઓછી 10 ટકા ભારતીય વસ્તી મારી ફિલ્મ જુએ, તો જ હું તેને સાચી સફળતા ગણીશ.'' 'ધ કેરલા સ્ટોરી'નું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી તેને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો છે. તેની રિલીઝ પછી તેના પર ઘણા રાજ્યોમાં પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. પરંતુ આ બધાની વચ્ચે પણ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતા 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

  1. Theater In Bengal: 'ધ કેરલા સ્ટોરી' એક જ થિયેટરમાં ચાલી છતાં દર્શકોનો સારો પ્રતિસાદ
  2. Adah Sharma New Movie: 'ધ કેરલા સ્ટોરી' ફેમ અદા શર્મા આગામી ફિલ્મમાં જોવા મળશે, જુઓ ફર્સ્ટ લુક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.