ETV Bharat / city

સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ: એકે માસ્ક વગરના લોકોને દંડ નહિ કરવાનું કહ્યું, બીજાએ દંડ વસૂલવાની વાત કરી

author img

By

Published : Mar 26, 2021, 1:46 PM IST

Updated : Mar 26, 2021, 6:37 PM IST

સુરતમા માસ્કના દંડને લઈ અનેક મતભેદો સર્જાયા છે. એક તકફ મેયર દંડ ન વસૂલવા અંગેની જાહેરાત કરે છે. તો બીજી બાજુ જાહેરાતના 24 કલાકમાં જ સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે, માસ્ક માટે દંડ તો વસૂલાશે જ.

સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ
સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ
  • સુરત મેયર હેમાલી બોઘાવાલા ફરી વખત વિવાદમાં
  • માસ્ક ન પહેરનારાઓને દંડ ન કરવાની કરી જાહેરાત
  • પોલીસ કમિશનરની સ્પષ્ટતા, દંડની કાર્યવાહી ચાલુ જ રહેશે

સુરત: મેયર હેમાલી બોઘાવાલા ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ નહિ વસૂલાવા આવે. જેના ગણતરીના કલાકોમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી છે કે, નિયમ ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. એક જ શહેરના બે મુખ્ય કહી શકાય તેવા હોદ્દેદારોના એક જ મુદ્દાને લઈને અલગ અલગ વલણને લોકો વિમાસણમાં મૂકાઈ ગયા છે.

સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ

હાલમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાય છે

સુરતમાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ માટે માસ્ક ન પહેરનારા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરાઈ રહી છે. રાજ્યભરમાં ફરી એક વખત શરૂ થયેલી કોરોનાની લહેરમાં સૌથી વધારે અસર સુરત શહેરને જ થઈ છે. એવામાં તંત્રના બે સૌથી અગત્યના કહી શકાય તેવા સરકારી અધિકારીઓના જુદા જુદા અભિપ્રાયોને લઈને વિવાદ થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાદ સુરત મેયરે પણ તે જ જાહેરાત કરી હતી. જ્યારે, હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને પોલીસ કમિશનરની સ્પષ્ટતા પણ યોગ્ય હોય, તેમ લાગી રહ્યું છે.

  • સુરત મેયર હેમાલી બોઘાવાલા ફરી વખત વિવાદમાં
  • માસ્ક ન પહેરનારાઓને દંડ ન કરવાની કરી જાહેરાત
  • પોલીસ કમિશનરની સ્પષ્ટતા, દંડની કાર્યવાહી ચાલુ જ રહેશે

સુરત: મેયર હેમાલી બોઘાવાલા ફરી વિવાદમાં આવ્યા છે. તેમણે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ નહિ વસૂલાવા આવે. જેના ગણતરીના કલાકોમાં સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી છે કે, નિયમ ભંગ કરનારા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. એક જ શહેરના બે મુખ્ય કહી શકાય તેવા હોદ્દેદારોના એક જ મુદ્દાને લઈને અલગ અલગ વલણને લોકો વિમાસણમાં મૂકાઈ ગયા છે.

સુરત મેયર અને પોલીસ કમિશનરનું અલગ વલણ

હાલમાં સૌથી વધુ કેસ સુરતમાં નોંધાય છે

સુરતમાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ માટે માસ્ક ન પહેરનારા લોકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરાઈ રહી છે. રાજ્યભરમાં ફરી એક વખત શરૂ થયેલી કોરોનાની લહેરમાં સૌથી વધારે અસર સુરત શહેરને જ થઈ છે. એવામાં તંત્રના બે સૌથી અગત્યના કહી શકાય તેવા સરકારી અધિકારીઓના જુદા જુદા અભિપ્રાયોને લઈને વિવાદ થયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાદ સુરત મેયરે પણ તે જ જાહેરાત કરી હતી. જ્યારે, હાલમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને પોલીસ કમિશનરની સ્પષ્ટતા પણ યોગ્ય હોય, તેમ લાગી રહ્યું છે.

Last Updated : Mar 26, 2021, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.