ETV Bharat / city

સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ બન્યું ભક્તિમય

author img

By

Published : Apr 21, 2021, 8:31 PM IST

સુરતમાં રામ નવમી નિમિત્તે કોવિડ હોસ્પિટલમાં રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓના પરિવારજનો પણ જોડાયા હતા. દર્દીઓ જલ્દીથી સ્વસ્થ્ય થાય અને કોરોનાની મહામારી દુર થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ બન્યું ભક્તિમય
સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ બન્યું ભક્તિમય
  • સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી
  • PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી
  • મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ એટલે કે રામ નવમી

સુરતઃ દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ભવ્ય ઉજવણીમાં સુરત પણ બાકાત રહેતું નથી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરોમાં રામ નવમીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી હતી.

સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું

આ પણ વાંચોઃ જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 55 વર્ષથી ચાલે છે અખંડ રામધૂન

રામધૂનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ભક્તિમય બન્યું

આ ઉપરાંત હોસ્પિટલની બહાર દર્દીઓના પરિવારજનો પણ આ રામધૂનમાં જોડાયા હતા. સારવાર લઇ રહેલા તમામ દર્દીઓ સ્વસ્થ થાય તેમજ દુનિયામાંથી કોરોનાની મહામારી દુર થાય તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી હતી. રામધૂનના આયોજનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું.

  • સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી
  • PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી
  • મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ એટલે કે રામ નવમી

સુરતઃ દેશભરમાં રામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ ભવ્ય ઉજવણીમાં સુરત પણ બાકાત રહેતું નથી. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરોમાં રામ નવમીની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ સુરતની કોવિડ હોસ્પિટલમાં પણ રામ નવમીની ઉજવણી કરવામાં આવી હતી. અહીં PPE કીટ પહેરી તબીબો અને હોસ્પિટલના સ્ટાફે રામધૂન કરી હતી.

સુરત કોવિડ હોસ્પિટલમાં રામધૂનથી વાતાવરણ ભક્તિમય બન્યું

આ પણ વાંચોઃ જામનગરમાં બાલા હનુમાન મંદિરમાં છેલ્લા 55 વર્ષથી ચાલે છે અખંડ રામધૂન

રામધૂનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ભક્તિમય બન્યું

આ ઉપરાંત હોસ્પિટલની બહાર દર્દીઓના પરિવારજનો પણ આ રામધૂનમાં જોડાયા હતા. સારવાર લઇ રહેલા તમામ દર્દીઓ સ્વસ્થ થાય તેમજ દુનિયામાંથી કોરોનાની મહામારી દુર થાય તેવી ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી હતી. રામધૂનના આયોજનથી હોસ્પિટલનું વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.