ETV Bharat / city

સુરત: લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સના વેપારીઓએ દુકાનો ખોલી

author img

By

Published : Nov 19, 2020, 5:06 PM IST

લાભ પાંચમ એટલે માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો પૂર્ણકાળ અને દેવોની દિવાળીની શરૂઆત. આ દિવસનું ઘણું મહત્વ રહેલું છે. લાભ પાંચમના શુભ મુહૂર્ત પર સુરતના ટેક્સટાઇલ્સ વેપારીએ દુકાનો ખોલી ધંધા વેપારની શરૂઆત કરી હતી. કોરોના કાળ અને આર્થિક મંદીના કારણે લાભ પાંચમ હોવા છતાં ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફક્ત પંદર ટકા જેટલી જ દુકાનો ઉગરી હતી. વેપારીઓ આશા સેવી બેઠા છે કે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વેપાર વેગ પકડશે અને લગ્નસરાની ખરીદી નીકળશે.

લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સ વેપારીઓએ દુકાનો ખોલી
લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સ વેપારીઓએ દુકાનો ખોલી

  • લાભ પાંચમના શુભ મુહૂર્ત પર સુરતના વેપારીઓએ દુકાનો ખોલી
  • ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફક્ત પંદર ટકા જેટલી જ દુકાનો ખુલી
  • ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વેપાર વેગ પકડશે

સુરત: માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો આજે પૂર્ણકાળ છે અને દેવોની દીવાળીની આજથી શરૂઆત થઈ રહી છે.આ પર્વને વેપાર -ઉદ્યોગ માટે અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે. જે પ્રસંગે સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓ દ્વારા આજે દુકાનો ખોલી પૂજા - અર્ચનાની સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં થયેલા કરોડો રૂપિયાના નુકસાનને ભૂલી નવેસરથી વેપારીઓએ દુકાનો ખોલી હતી. વેપારીઓને આશા છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં માર્કેટ સંપૂર્ણપણે વેગ પકડશે. આજે લાભ - પાંચમનો દિવસ હોવા છતાં માર્કેટમાં પંદર ટકા જ દુકાનો ખુલી હતી. પણ વેપારીઓએ આશા રાખી છે કે આવનાર લગ્નસરામાં સારી ખરીદી નીકળે.

લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સ વેપારીઓએ દુકાનો ખોલી
લાભ પાંચમનું મહત્વ

આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

  • લાભ પાંચમના શુભ મુહૂર્ત પર સુરતના વેપારીઓએ દુકાનો ખોલી
  • ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં ફક્ત પંદર ટકા જેટલી જ દુકાનો ખુલી
  • ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વેપાર વેગ પકડશે

સુરત: માનવ દ્વારા ઉજવાતી દિવાળીનો આજે પૂર્ણકાળ છે અને દેવોની દીવાળીની આજથી શરૂઆત થઈ રહી છે.આ પર્વને વેપાર -ઉદ્યોગ માટે અતિ મહત્વનો દિવસ માનવામાં આવે છે. જે પ્રસંગે સુરતના ટેક્સટાઇલ્સ વેપારીઓ દ્વારા આજે દુકાનો ખોલી પૂજા - અર્ચનાની સાથે મુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં થયેલા કરોડો રૂપિયાના નુકસાનને ભૂલી નવેસરથી વેપારીઓએ દુકાનો ખોલી હતી. વેપારીઓને આશા છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં માર્કેટ સંપૂર્ણપણે વેગ પકડશે. આજે લાભ - પાંચમનો દિવસ હોવા છતાં માર્કેટમાં પંદર ટકા જ દુકાનો ખુલી હતી. પણ વેપારીઓએ આશા રાખી છે કે આવનાર લગ્નસરામાં સારી ખરીદી નીકળે.

લાભ પાંચમના શુભ મુહૂર્ત પર ટેક્સટાઇલ્સ વેપારીઓએ દુકાનો ખોલી
લાભ પાંચમનું મહત્વ

આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે. તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.