ETV Bharat / city

ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં - હરિપુરા

આજે સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં દેશભરમાં પરાક્રમ દિવસ ઉજવાઇ રહ્યો છે. સુરત જિલ્લામાં આવેલા હરિપુરા ગામ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટના કારણે લાઈમ લાઈટમાં છે. આ ગામમાં વર્ષ 1938માં સુભાષચંદ્ર બોઝ આવ્યા હતા.આજે શનિવારે અહીં ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ નવી પેઢીને ખબર ન હશે કે આ ગામમાં એક અઠવાડિયા સુધી સુભાષચંદ્ર બોઝ રહ્યા હતા. આ સ્થળની મુલાકાતે ETV ભારતની ટીમ પહોંચી હતી.

ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં
ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં
author img

By

Published : Jan 23, 2021, 7:38 PM IST

Updated : Jan 23, 2021, 7:54 PM IST

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ સુરતનું હરિપુરા છવાયું
  • આ ગામમાં નેતાજી એક અઠવાડિયું મુકામ કર્યો હતો
  • નેતાજીના ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં
    ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં

સુરતઃ જિલ્લાના હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે અહીં સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. 1938 વર્ષ ખૂબ જ અગત્યનું હતું. કારણ કે, આ હરિપુરા ગામમાં અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરણી કરાઈ હતી. અધ્યક્ષ બનવાના સમયે તેઓ આ ગામના મકાનમાં રહી તમામ રણનીતિઓ તૈયાર કરી રહ્યા હતા. તેમના મગજમાં ચાલી રહ્યું હતું કે અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશથી ઉખાડી શકાય, જ્યારે આ મકાનમાં તેઓ રહ્યાં હતાં ત્યારે જે સામગ્રી હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં જોવા મળે છે. ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાયું છે.

સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી

જ્યારે સુભાષ ચંદ્ર બોઝ અહીં રહ્યા હતા. 1938માં આ ગામમાં આવેલા સુભાષચંદ્ર બોઝ અને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી. આ મકાન આજે પણ તેમના જવા પછી ખાલી છે. ગામના કોઈપણ લોકો આ મકાનમાં રહેતા નથી.

  • નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ સુરતનું હરિપુરા છવાયું
  • આ ગામમાં નેતાજી એક અઠવાડિયું મુકામ કર્યો હતો
  • નેતાજીના ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં
    ગુજરાતના હરિપુરા ગામમાં સુભાષ બાબુ એક અઠવાડિયું રહ્યા હતાં

સુરતઃ જિલ્લાના હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક અઠવાડિયા સુધી રહ્યા હતા. આ મકાનની ખાસિયત છે કે અહીં સુભાષચંદ્ર બોઝની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ અને જવાહરલાલ નહેરુ પણ રહ્યા હતા. 1938 વર્ષ ખૂબ જ અગત્યનું હતું. કારણ કે, આ હરિપુરા ગામમાં અધિવેશનમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નેતાજીની વરણી કરાઈ હતી. અધ્યક્ષ બનવાના સમયે તેઓ આ ગામના મકાનમાં રહી તમામ રણનીતિઓ તૈયાર કરી રહ્યા હતા. તેમના મગજમાં ચાલી રહ્યું હતું કે અંગ્રેજોના શાસનને કઈ રીતે દેશથી ઉખાડી શકાય, જ્યારે આ મકાનમાં તેઓ રહ્યાં હતાં ત્યારે જે સામગ્રી હતી તે તમામ સામગ્રી આજદિન સુધી યથાસ્થિતિમાં જોવા મળે છે. ટેબલ ખુરશી તમામ વસ્તુઓ આજે પણ એ જ સ્થિતિમાં છે. જેમાં વર્ષો જૂનો પાણીનો કૂવો, ગમાણ વગેરે બધું જ યથાસ્થિતિ જળવાયું છે.

સુભાષચંદ્ર બોઝને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી

જ્યારે સુભાષ ચંદ્ર બોઝ અહીં રહ્યા હતા. 1938માં આ ગામમાં આવેલા સુભાષચંદ્ર બોઝ અને આજે પણ ગામના લોકો ભૂલી શકતા નથી. આ મકાન આજે પણ તેમના જવા પછી ખાલી છે. ગામના કોઈપણ લોકો આ મકાનમાં રહેતા નથી.

Last Updated : Jan 23, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.