સુરત શહેરમાં દિવસે દિવસે સિટી બસ ચાલકો બેફામ બન્યા હોય તેમ (death youth in Surat) લાગી રહ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ઇન્દિરા નગરમાં રહેતો 18 વર્ષીય વિશન વિજયરાજ મૌર્યા જેઓ ઘરથી ટ્યુશન જઈ રહ્યો હતો. તે દરમિયાન તેઓ સીટી બસમાં ચડવા જતા તેમનો પગ લપસતા પગ ઉપર ટાયર ફરી વળ્યું હતું. વિદ્યાર્થીને ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લવામાં આવ્યો હતો. જ્યાં વિશન વિજયરાજ મૌર્યાનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્તા પરિવાર શોકમાં થઈ ગયો હતો. હાલ આ મામલે (Surat City bus) પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બસમાં પથ્થર મારો મળતી માહિતી અનુસાર મૃતક વિશન વિજયરાજ મૌર્યા ધોરણ 12માં અભ્યાસ કરતો હતો. જેઓ ઘરેથી ટ્યુશન જઈ રહ્યા હતા તે દરમિયાન સિટી બસમાં ચડવા જતા તેમનો પગ (Student death in Surat) લપસ્યો હતો. બસ ચાલકે જોયા વગર બસ હાંકી કાઢી હતી. જેથી વિદ્યાર્થીના પગ ઉપર ટાયર ફરી વળ્યું હતું. જેને લઇને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને બસમાં પથ્થર મારો કર્યો હતો. જોકે બસ ડ્રાઇવર બસ મૂકી ફરાર થઈ ગયો હતો. પરંતુ પથ્થરમારો કરતા પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે પાંડેસરા પોલીસ દ્વારા સીટી બસ ચાલક ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. (City bus accident in Surat)
વાલીએ શું કહ્યું આ બાબતે મૃતક વિશન વિજયરાજ મૌર્યાના પિતાએ જણાવ્યું કે, મને ફોન આવ્યો કે આ રીતેની ઘટના બની છે. હું તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં અંદર સારવાર ચાલી રહી હતી. થોડીક જ વારમાં મને કહેવામાં આવ્યું કે, તમારા પુત્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જો બસ ચાલક બસ હાંકી નઈ હોતી તો મારો પુત્ર આજે મારી સામે હોત. Student city bus accident in Surat, City bus rolling tire death youth