ETV Bharat / city

વિવાદીત LR સુનિતાએ કહ્યું- 'જીવતી રહીશ તો IPS બનીને ફરી આવીશ'

author img

By

Published : Jul 14, 2020, 10:41 AM IST

સુરત પોલીસની વિવાદીત કોન્સ્ટેબલ સુનિતા યાદવે મોડી રાત્રે ફેસબુક LIVE કરી અનેક આરોપો મુક્યા હતા. વધુમાં જાણો શું કહ્યું?

Sunita Yadav News
સુનિતા યાદવના સમાચાર

સુરતઃ શહેરમાં થોડા દિવસ અગાઉ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ વિવાદનું રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં ફરતુ થતા લોકોમાં ક્યાંક સહાનુભૂતિ તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. રાજીનામાની અટકળો વચ્ચે સુનિતા યાદવ સોમવારે મોડી રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ આવી હતી અને લોકો વચ્ચે પોતાની વ્યથા ઠાલવતી જોવા મળી હતી.

લાઈવમાં સુનિતાએ નામ લીધા વગર આરોપ લગાવતા કહ્યું કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. સુનિતાએ મીડિયા પર આરોપ મુકતા કહ્યું કે, લોકલ મીડિયા સહકાર નથી આપતી. આરોગ્ય પ્રધાન દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહીં. શિસ્તભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

ફેસબુક LIVE કરી આરોપ મુક્યા

આમ આદમી પાર્ટીના નેતા સાથે વાયરલ સેલ્ફી અંગે સુનિતાએ જણાવ્યું હતું કે, મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓળખ છે. મારે IPS બનવું છે. જીવતી રહીશ તો IPS બનીને લોકોને આ બતાવીશ. આ તો ખાલી ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે. બધા જ ખુલાસા કરીશ. મીડિયાના લોકોએ મને હેરાન કરી. મારા FOP મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ મારી સાથે નિર્ભયા 2 થઈ જાત.

તેણીએ વધુમાં કહ્યું કે, હું આવતીકાલે પોલીસ કમિશનર કચેરી પહોંચી રાજીનામુ આપીશ અને ફરીથી LIVE આવીશ.

સુરતઃ શહેરમાં થોડા દિવસ અગાઉ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ વિવાદનું રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં ફરતુ થતા લોકોમાં ક્યાંક સહાનુભૂતિ તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. રાજીનામાની અટકળો વચ્ચે સુનિતા યાદવ સોમવારે મોડી રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ આવી હતી અને લોકો વચ્ચે પોતાની વ્યથા ઠાલવતી જોવા મળી હતી.

લાઈવમાં સુનિતાએ નામ લીધા વગર આરોપ લગાવતા કહ્યું કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. સુનિતાએ મીડિયા પર આરોપ મુકતા કહ્યું કે, લોકલ મીડિયા સહકાર નથી આપતી. આરોગ્ય પ્રધાન દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહીં. શિસ્તભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

ફેસબુક LIVE કરી આરોપ મુક્યા

આમ આદમી પાર્ટીના નેતા સાથે વાયરલ સેલ્ફી અંગે સુનિતાએ જણાવ્યું હતું કે, મારે રાજકારણમાં આવવું હોય તો ઘણી ઓળખ છે. મારે IPS બનવું છે. જીવતી રહીશ તો IPS બનીને લોકોને આ બતાવીશ. આ તો ખાલી ટ્રેલર છે. ફિલ્મ હજુ બાકી છે. બધા જ ખુલાસા કરીશ. મીડિયાના લોકોએ મને હેરાન કરી. મારા FOP મિત્રે તે દિવસે મારી મદદ ન કરી હોત તો દિલ્હીની નિર્ભયા કાંડની ઘટના જેવી જ મારી સાથે નિર્ભયા 2 થઈ જાત.

તેણીએ વધુમાં કહ્યું કે, હું આવતીકાલે પોલીસ કમિશનર કચેરી પહોંચી રાજીનામુ આપીશ અને ફરીથી LIVE આવીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.