ETV Bharat / city

કોરોનાએ બદલ્યા દિવાળીની મીઠાઇના રંગરૂપ: લોકો રાખે છે ઈમ્યુનિટી સ્વીટ્સ ખરીદવાનો આગ્રહ

કોરોનાએ તહેવારોના રંગરૂપ અને ઉજવણીની રીત બદલી છે, ત્યારે દિવાળી પર્વ નિમિત્તે લોકો મીઠાઇની ખરીદી કરતા હોય છે. જોકે, કોરોના કાળમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદવાનો આગ્રહ વધારે રાખે છે. સુરતાના મીઠાઈના વેપારી વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. જાણો શું છે આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ.

author img

By

Published : Nov 13, 2020, 6:40 PM IST

diwali 2020
diwali 2020
  • કોરોના કાળમાં મીઠાઈઓ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે તેની ચિંંતા
  • ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો
  • ઈમ્યુનિટી મીઠાઈ લોકોની પહેલી પસંદ બની

સુરત: કોરોનાએ તહેવારોના રંગરૂપ અને ઉજવણીની રીત બદલી છે, ત્યારે દિવાળી પર્વ નિમિત્તે લોકો મીઠાઇની ખરીદી કરતા હોય છે. જોકે, કોરોના કાળમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદવાનો આગ્રહ વધારે રાખે છે. સુરતાના મીઠાઈના વેપારી વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. જાણો શું છે આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ.

diwali 2020
લોકો રાખે છે ઈમ્યુનિટી સ્વીટ્સ ખરીદવાનો આગ્રહ

ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી

દિવાળીના પર્વ પર દર વર્ષે સુરતમાં કરોડો રૂપિયાની મીઠાઈનું વેચાણ થાય છે. આ વખતે કોરોના કાળમાં મીઠાઈ ખરીદવા માટે લોકો વિચારી રહ્યા છે. જેથી લોકોનો આ ડર દૂર કરવા સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને આવી વસ્તુઓથી તૈયાર મીઠાઈના કારણે કોઇ નુકસાન ન થાય એવા ઉમદા હેતુથી આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે.

લોકો રાખે છે ઇમ્યુનિટી સ્વીટ્સ ખરીદવાનો આગ્રહ

બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજૂર સહિત ફૂદિનાનો સમાવેશ

ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓમાં બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજૂર સહિત ફુદિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય મીઠાઈઓની સરખામણીમાં કિંમત થોડી વધારે છે, પરંતુ હાલ કોરોના કાળમાં આવનારા દિવાળી પર્વ નિમિત્તે આ મીઠાઈ સ્વસ્થ્યને સુરક્ષિત રાખવા લોકો આ મિઠાઈની ખરીદી કરી રહ્યા છે.

ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો

કોરોના કાળમાં આવનારા દિવાળી પર્વ પર મીઠાઇ ખરીદવા માટે લોકો વિચાર કરી રહ્યા હતા. કારણ કે, મીઠાઈથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે એમ હતું, પરંતુ બજારમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ આવવાથી લોકો પોતાની જાતને આ મીઠાઈઓ ખરીદવાથી રોકી શકતા નથી અને કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદી રહ્યા છે.

  • કોરોના કાળમાં મીઠાઈઓ સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચાડે તેની ચિંંતા
  • ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો
  • ઈમ્યુનિટી મીઠાઈ લોકોની પહેલી પસંદ બની

સુરત: કોરોનાએ તહેવારોના રંગરૂપ અને ઉજવણીની રીત બદલી છે, ત્યારે દિવાળી પર્વ નિમિત્તે લોકો મીઠાઇની ખરીદી કરતા હોય છે. જોકે, કોરોના કાળમાં લોકો ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદવાનો આગ્રહ વધારે રાખે છે. સુરતાના મીઠાઈના વેપારી વિશાલ હલવાવાલાએ ખાસ ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરી છે. જાણો શું છે આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈ.

diwali 2020
લોકો રાખે છે ઈમ્યુનિટી સ્વીટ્સ ખરીદવાનો આગ્રહ

ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી

દિવાળીના પર્વ પર દર વર્ષે સુરતમાં કરોડો રૂપિયાની મીઠાઈનું વેચાણ થાય છે. આ વખતે કોરોના કાળમાં મીઠાઈ ખરીદવા માટે લોકો વિચારી રહ્યા છે. જેથી લોકોનો આ ડર દૂર કરવા સુરતના મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે અને આવી વસ્તુઓથી તૈયાર મીઠાઈના કારણે કોઇ નુકસાન ન થાય એવા ઉમદા હેતુથી આ ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ તૈયાર કરવામાં આવી છે.

લોકો રાખે છે ઇમ્યુનિટી સ્વીટ્સ ખરીદવાનો આગ્રહ

બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજૂર સહિત ફૂદિનાનો સમાવેશ

ઈમ્યુનિટી બુસ્ટ કરનારી મીઠાઈઓમાં બદામ, અખરોટ, આલુ, અંજીર અને ખજૂર સહિત ફુદિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય મીઠાઈઓની સરખામણીમાં કિંમત થોડી વધારે છે, પરંતુ હાલ કોરોના કાળમાં આવનારા દિવાળી પર્વ નિમિત્તે આ મીઠાઈ સ્વસ્થ્યને સુરક્ષિત રાખવા લોકો આ મિઠાઈની ખરીદી કરી રહ્યા છે.

ઇમ્યુનિટી બુસ્ટર મીઠાઈની કિંમત 900 રૂપિયા પ્રતિ કિલો

કોરોના કાળમાં આવનારા દિવાળી પર્વ પર મીઠાઇ ખરીદવા માટે લોકો વિચાર કરી રહ્યા હતા. કારણ કે, મીઠાઈથી તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે એમ હતું, પરંતુ બજારમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈઓ આવવાથી લોકો પોતાની જાતને આ મીઠાઈઓ ખરીદવાથી રોકી શકતા નથી અને કોરોના કાળમાં ઈમ્યુનિટી બુસ્ટર મીઠાઈ ખરીદી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.