ETV Bharat / city

સુરતના ખેડૂતો માટે ખુશખબરી, રાજ્ય સરકારે કર્યો સાત ગણો જંત્રીનો ભાવ - મહેસુલ પ્રધાન

સુરત: કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તેવા અણસાર જણાઇ રહ્યા છે. ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામા આવ્યું છે. જેને લઇને ખેડૂતોમા ખુશીની લહેર જોવા મળી રહી છે. 13 નવેમ્બરના રોજ મહેસુલ પ્રધાન દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવશે.

સુરતના ખેડૂતો માટે ખુશખબરી
author img

By

Published : Nov 12, 2019, 5:31 PM IST

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયું હતું. સુરત, નવસારી અને મહારાષ્ટ્રમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ સર્વેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતાં.

સુરતના ખેડૂતો માટે ખુશખબરી, રાજ્ય સરકારે કર્યો સાત ગણો જંત્રીનો ભાવ

સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ગામોમા જંત્રીનો ભાવ રૂપિયા 100થી પણ ઓછા છે. જેને કારણે ખેડૂતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યા હતો. માટે જ ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતાં. તે દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડૉ.ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે, સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી.

કમિટિએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમા 100થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરે રૂપિયા 708નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. જેને લઇને ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહીં છે. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસુલ પ્રધાન સાથે બેઠક મળશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરાશે.

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયું હતું. સુરત, નવસારી અને મહારાષ્ટ્રમાં જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ સર્વેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતાં.

સુરતના ખેડૂતો માટે ખુશખબરી, રાજ્ય સરકારે કર્યો સાત ગણો જંત્રીનો ભાવ

સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ગામોમા જંત્રીનો ભાવ રૂપિયા 100થી પણ ઓછા છે. જેને કારણે ખેડૂતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યા હતો. માટે જ ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતાં. તે દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડૉ.ધવલ પટેલની અધ્યક્ષતામાં એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમાં જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે, સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી.

કમિટિએ ઓલપાડ, માંગરોળ અને કામરેજમા 100થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. સર્વે બાદ 100થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરે રૂપિયા 708નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. જેને લઇને ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહીં છે. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસુલ પ્રધાન સાથે બેઠક મળશે અને ત્યારબાદ સત્તાવાર જાહેરાત કરાશે.

Intro:સુરત : કેન્દ્ર સરકાર ના અતિમહત્વકાંશી બુલેટ  ટ્રેનની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીને વેગ મળે તેવા અણસાર જણાઇ રહ્યા છે. ઓલપાડ, માંગરોળ તથા કામરેજ તાલુકાના ખેડુતોને જંત્રીનો ભાવ સાત ગણો આપવાનુ રાજય સરકાર દ્વારા નક્કી કરવામા આવતા ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહી છે. 13 મી નવેમ્બરના રોજ મહેસુલ મંત્રી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામા આવશે.સરકાર ના આ નિર્ણય બાદ ખેડૂતો દ્વારા ચલાવવામ આવી રહેલી લડતનું સુખદ અંત આવ્યો છે.


Body:અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટને શરુઆતથી જ ગ્રહણ નડયુ હતુ. સુરત સહિત નવસારી અને મહારાષ્ટ્રના જમીન ગુમાવનારા ખેડૂતોએ વિરોધ દર્શાવી જમીન આપવા ઇન્કાર કરી દીધો હતો. ઓલપાડ, કામરેજ અને માંગરોળના કેટલાક ખેડૂતોએ તો સરવેની કામગીરી પણ અટકાવી દીધી હતી. તેમજ ન્યાય માટે કોર્ટના દ્રાર પણ ખખડાવ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેડુતોની વાત કરીએ તો ગામોમા જંત્રીનો ભાવ રૂૂપિયા 100 થી પણ ઓછી છે. જેને કારણે ખેડુતોને બજાર ભાવ કરતા ખુબ જ ઓછો ભાવ મળી રહ્યો હતો. જેને કારણે ખેડૂતો સખત વિરોધ નોંધાવી રહ્યા હતા. દરમિયાન 100 રુપિયાથી ઓછી જંત્રી ધરાવતા ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે કલેકટર ડો. ધવલ પટેલની અધ્યક્ષતામા એક કમિટિની રચના કરવામા આવી હતી. આ કમિટિમા જિલ્લા વિકાસ અધિકારી સભ્ય તરીકે , સુરત સ્ટેમ્પ ડયૂટીના નાયબ કલેકટરની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરાઇ હતી. આ કમિટિએ ઓપાડ, માગરોળ અને કામરેજમા 100 થી ઓછી જંત્રી ધરાવતા આઠ ગામોમાં સર્વે કર્યો હતો. Conclusion:સર્વે બાદ 100 થી ઓછી જંત્રી ભાવ ધરાવતા ખેડૂતોને પ્રતિ ચોરસ મિટરએ રૂપિયા 708 નો ભાવ આપવાનો નિર્ણય કરવામા આવ્યો . જેને લઇને ખેડુતોમા ખુશીની લહેર જોવા મળી રહી છે.. આ અંગે 13મી નવેમ્બરના રોજ મહેસુલ મત્રી સાથે બેઠક મળશે અને ત્યાર બાદ સત્તાવાર જાહેરાત કરાશે.


બાઈટ : જયેશ પટેલ (ખેડૂત આગેવાન)
બાઈટ : ભારત દેસાઈ(ખેડૂત)
બાઈટ : ચીમન પટેલ(ખેડૂત)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.