ETV Bharat / city

રાજકોટમાં 65 હજાર દુકાનો બહાર એકી- બેકી સંખ્યાના લાગશે સ્ટીકર

author img

By

Published : May 19, 2020, 4:57 PM IST

રાજકોટમાં જે દુકાનદારો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેમના માટે મનપા દ્વારા એકી બેકી સંખ્યાના સ્ટિકરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જે સ્ટિકરની સંખ્યા મુજબ દુકાનદારો પોતાની દુકાન ખોલી શકશે.

odd, Rajkot news, Etv Bharat
odd, Rajkot news


રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધારે નથી એવા જિલ્લામાં લોકડાઉન 4 દરમિયાન ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં પણ આજ સવારથી જ સરકારના નીતિ નિયમો મુજબ મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે.

જ્યારે હજુ પણ કેટલાક કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને જે દુકાનદાર પાસે પ્રોપર્ટી કાર્ડ નથી એવા દુકાનદારો મૂંઝવણમાં મુકાયા છે. જેને લઈને મનપા દ્વારા આવા કોમ્પ્લેક્સમાં અને જે લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેવા દુકાનદારો માટે ખાસ પ્રકારના સ્ટીકર બનાવડાવામાં આવ્યા છે. જેમાં એકી અને બેકી ક્રમ રાખવામાં આવ્યા છે.

Etv Bharat
રાજકોટમાં 65 હજાર દુકાનો બહાર એકી- બેકી સંખ્યાના લાગશે સ્ટીકર

આ સ્ટીકર કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને પ્રોપર્ટી કાર્ડ ન હોય તેવી દુકાનો બહાર લગાડવામાં આવશે, અને આ એકી બેકી સંખ્યાના આધારે તેમને દુકાનો ખોલવાની મંજૂરી મળશે. હાલ આ પ્રકારની 65 હજાર જેટલી દુકાનો છે. આ દુકાનો માટે મનપા દ્વારા સ્ટીકર બનાવવા તથા લગાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મનપાના આ એકી બેકી સ્ટિકના પ્રયોગથી જે દુકાનદારો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેઓ પણ પોતાની દુકાન ખોલી શકશે.


રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં જ્યાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધારે નથી એવા જિલ્લામાં લોકડાઉન 4 દરમિયાન ઘણી બધી છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં પણ આજ સવારથી જ સરકારના નીતિ નિયમો મુજબ મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે.

જ્યારે હજુ પણ કેટલાક કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનો અને જે દુકાનદાર પાસે પ્રોપર્ટી કાર્ડ નથી એવા દુકાનદારો મૂંઝવણમાં મુકાયા છે. જેને લઈને મનપા દ્વારા આવા કોમ્પ્લેક્સમાં અને જે લોકો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેવા દુકાનદારો માટે ખાસ પ્રકારના સ્ટીકર બનાવડાવામાં આવ્યા છે. જેમાં એકી અને બેકી ક્રમ રાખવામાં આવ્યા છે.

Etv Bharat
રાજકોટમાં 65 હજાર દુકાનો બહાર એકી- બેકી સંખ્યાના લાગશે સ્ટીકર

આ સ્ટીકર કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને પ્રોપર્ટી કાર્ડ ન હોય તેવી દુકાનો બહાર લગાડવામાં આવશે, અને આ એકી બેકી સંખ્યાના આધારે તેમને દુકાનો ખોલવાની મંજૂરી મળશે. હાલ આ પ્રકારની 65 હજાર જેટલી દુકાનો છે. આ દુકાનો માટે મનપા દ્વારા સ્ટીકર બનાવવા તથા લગાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મનપાના આ એકી બેકી સ્ટિકના પ્રયોગથી જે દુકાનદારો પાસે પ્રોપર્ટી કાર્ડ નથી તેઓ પણ પોતાની દુકાન ખોલી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.