ETV Bharat / city

જૂનાગઢમાં પાંચમાં તબક્કાના આયોજીત સેવા સેતુ કાર્યક્રમનો ફિયાસ્કો - Seva Setu program fail

જૂનાગઢઃ જિલ્લાના મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખૂબ જ નબળો અને નિરૂત્સાહી કહી શકાય તેવો પ્રતિભાવ મળ્યો હતો.કાર્યક્રમ શરૂ થયાને માત્ર 20 મિનિટમાં જ તેને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો.

સેવા સેતુ કાર્યક્રમનો ફિયાસ્કો
author img

By

Published : Oct 10, 2019, 9:57 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખુબ જ નિરાશાજનક અને નિરૂત્સાહી કહી શકાય તે પ્રકારનો પ્રતિભાવ સાંપડ્યો હતો.સેવા સેતુ કાર્યક્રમ શરૂ થયાને માત્ર 20 મિનિટમાં જ કાર્યક્રમને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો જેનું એકમાત્ર કારણ લાભાર્થીઓની પૂર્ણપણે ગેરહાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપાના અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ જે તે લાભાર્થી યોજનાઓને અંતર્ગત હાજર રહેલા કર્મચારી સિવાય માત્ર પાંચ જ લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેને ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાભની સેવાઓ સુપરત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

મહત્વનું છે કે, આ કાર્યક્રમની નિષ્ફળતા બતાવી આપે છે કે લાભાર્થીઓને હવે આવા કાર્યક્રમોમાં જવાનું પસંદ નથી અથવા આ કાર્યક્રમને લઈને લાભાર્થી સુધી પૂરતી સૂચનાઓ પહોંચતી કરવામાં નથી આવી જેને કારણે આજે એક પણ લાભાર્થી અહીં હાજર રહ્યો ન હતો.સરકાર દ્વારા અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે લોકો આવા કાર્યક્રમો પ્રત્યે નિરૂત્સાહી બની રહ્યા છે.

જૂનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખુબ જ નિરાશાજનક અને નિરૂત્સાહી કહી શકાય તે પ્રકારનો પ્રતિભાવ સાંપડ્યો હતો.સેવા સેતુ કાર્યક્રમ શરૂ થયાને માત્ર 20 મિનિટમાં જ કાર્યક્રમને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો જેનું એકમાત્ર કારણ લાભાર્થીઓની પૂર્ણપણે ગેરહાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપાના અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ જે તે લાભાર્થી યોજનાઓને અંતર્ગત હાજર રહેલા કર્મચારી સિવાય માત્ર પાંચ જ લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેને ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાભની સેવાઓ સુપરત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

મહત્વનું છે કે, આ કાર્યક્રમની નિષ્ફળતા બતાવી આપે છે કે લાભાર્થીઓને હવે આવા કાર્યક્રમોમાં જવાનું પસંદ નથી અથવા આ કાર્યક્રમને લઈને લાભાર્થી સુધી પૂરતી સૂચનાઓ પહોંચતી કરવામાં નથી આવી જેને કારણે આજે એક પણ લાભાર્થી અહીં હાજર રહ્યો ન હતો.સરકાર દ્વારા અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે લોકો આવા કાર્યક્રમો પ્રત્યે નિરૂત્સાહી બની રહ્યા છે.

Intro:જૂનાગઢ મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પાંચમો સેવાસેતુ કાર્યક્રમ ને લાભાર્થીઓનો મળ્યો નિરુત્સાહી પ્રતિભાવ


Body:આજે જૂનાગઢ ખાતે મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 5માં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખૂબ જ નબળો અને નિરુત્સાહી કહી શકાય તેવો પ્રતિભાવ મળ્યો હતો કાર્યક્રમ શરૂ થયાને માત્ર ૨૦ મિનિટમાં તેને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો

જુનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે આજે મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચમાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખુબ જ નિરાશાજનક અને નિરુત્સાહી કહી શકાય તે પ્રકારનો પ્રતિભાવ સાંપડ્યો હતો કાર્યક્રમ શરૂ થયાને માત્ર ૨૦ મિનિટમાં કાર્યક્રમને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો જેનું એકમાત્ર કારણ લાભાર્થીઓની પૂર્ણપણે ગેરહાજરી આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપાના અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ જે તે લાભાર્થી યોજનાઓને અંતર્ગત હાજર રહેલા કર્મચારી સિવાય માત્ર પાંચ જ લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેને ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાભ ની સેવાઓ સુપરત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો

આ કાર્યક્રમની નિષ્ફળતા બતાવી આપે છે કે લાભાર્થીઓને હવે આવા કાર્યક્રમોમાં જવાનું પસંદ નથી અથવા આ કાર્યક્રમને લઈને લાભાર્થી સુધી પૂરતી સૂચનાઓ પહોંચતી કરવામાં નથી આવી જેને કારણે આજે એક પણ લાભાર્થી અહીં હાજર રહ્યો ન હતો સરકાર દ્વારા અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે લોકો આવા કાર્યક્રમો પ્રત્યે નિરુત્સાહી બની રહ્યા છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.