જૂનાગઢ: હાલ કોરોનાને લઈ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. તેવા માહોલમાં લોકોને ભોજન જેવી વ્યવસ્થાની કોઈ કમી ન પડે તે માટે જૂનાગઢમાં ઠેર ઠેર માનવતા મહેકતી જોવા મળી રહી છે. શહેરમાં ગરીબ પરિવારો માટે વિનામૂલ્યે જનતા તાવડાઓ શરૂ કરી થઈ રહી છે.
સંસ્થા દ્વારા ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ગરીબ અને મજૂર વર્ગના ઘર સુધી પહોંચીને આ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે. સંકટના આ સમયમાં લોકોને જઠરાગ્નિને ઠારવાનો પ્રયાસ કરી અને માનવ સેવા કરતા નજરે પડી રહ્યા છે. શંકટના સમયમાં જૂનાગઢ શહેરમાં હજારોની સંખ્યામાં જનતા તાવડાઓ મૂકી લોકોને ભોજન પૂરું પાડી રહી છે.