જૂનાગઢ: કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના દેવાયતભાઈ માધાભાઈ મકડીયાનું કાચું મકાન ધરાશાયી થયુ છે. જોકે ઘર પહેલેથી જ જર્જરીત હાલતમાં હતું. મકાનમાં આ પરિવાર ટેકા ભરાવી જીવના જોખમે રહેતો હતો. જે મકાન પણ ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતા હતી. હાલ ચોમાસું શરૂ હોય જર્જરીત મકાનમાં ના છૂટકે જીવના જોખમે રહેવુ પડે છે.
પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન માટે રજુઆત કરેલી છે. લાંબો સમય બાદ પણ મકાન મંજુર થયેલું ન હોય અને હાલમાં દેશી મકાનમાં રહે છે. ખેત મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે રહેવા માટેનો આશરો બનાવી આપવા સરકાર પાસે માંગણી કરી રહયા છે.