- રીક્ષા અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત
- સર્જાયેલા અકસ્માતમાં મજૂરો થયા ઇજાગ્રસ્ત
- ઇજાગ્રસ્ત થયેલા મજૂરોને જી. જી. હોસ્પિટલમાં અપાઈ સારવાર
- ઉભેલા ટેન્કર પાછળ રીક્ષા ઘૂસી
જામનગરઃ જિલ્લાના લાલપુર તાલુકાના ઝાંખર ગામના પાટીયા પાસે આજે મંગળવારે સવારના સમયે GJ-10-W-242 નંબરની પેસેન્જર રીક્ષા ઉભેલા ટેન્કર પાછળ અથડાઇ હતી. પેસેન્જર રીક્ષા ટેન્કરની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં લાલાભાઈ ઠાકરશીભાઈ (ઉ.વ.40), ઈસુબ હાસમભાઈ (ઉ.વ.59), સલીમમામદ (ઉ.વ.48), ગુલાબભાઈ રામજીભાઈ ભાનુશાળી (ઉ.વ.60) અને ટપુભા વેલુભા જાડેજા (ઉ.વ.54) નામના પાંચ પ્રવાસીને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
![ઝાંખરના પાટિયા પાસે ઉભેલા ટેન્કરની પાછળ રીક્ષા અથડાઇ, પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11726129_00000012.jpg)
આ પણ વાંચોઃ કાંકરેજના ઉણ ગામ પાસે જીપ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત:એકનું મૃત્યું
ઇજાગ્રસ્તોને જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ
જ્યાં તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત