ETV Bharat / city

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય : માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી

કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં માં કાર્ડ ધારકોને લાભ થશે. માં કાર્ડની મુદ્દત હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માં કાર્ડની વેલીડિટી 31 માર્ચના રોજ પૂરી થઇ હતી, જે હવે 31 જુલાઇ સુધી વધારવામાં આવી છે.

author img

By

Published : Jun 8, 2021, 6:56 PM IST

આરોગ્ય પ્રધાન નીતિન પટેલ
આરોગ્ય પ્રધાન નીતિન પટેલ
  • માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી
  • કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરાઇ જાહેરાત

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં માં કાર્ડ ધારકોને લાભ થશે. માં કાર્ડની મુદ્દત હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ કરાઈ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને રાખીને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે માં કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

31 માર્ચના રોજ પૂરી થઈ હતી મુદ્દત

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત 31 માર્ચના રોજ પૂરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાનમાં રાખીને માં કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2021 સુધી લંબાવવામાં આવી હતી. જે હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

  • માં કાર્ડની મુદ્દત 31 જુલાઇ સુધી વધારવામાં આવી
  • કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરાઇ જાહેરાત

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યમાં માં કાર્ડ ધારકોને લાભ થશે. માં કાર્ડની મુદ્દત હવે 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

માં કાર્ડની મુદ્દત 31 જુલાઈ કરાઈ

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું કે, કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોવાથી, આવકના દાખલા કઢાવવાની મુશ્કેલી ધ્યાને રાખીને નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાય રૂપ થવા માટે માં કાર્ડની મુદ્દત આગામી 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.

31 માર્ચના રોજ પૂરી થઈ હતી મુદ્દત

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, જે નાગરિકોના માં કાર્ડની મુદ્દત 31 માર્ચના રોજ પૂરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તથા આવકના દાખલા કઢાવવાની સાંપ્રત મુશ્કેલી ધ્યાનમાં રાખીને માં કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે 30 જૂન, 2021 સુધી લંબાવવામાં આવી હતી. જે હવે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી આ મુદ્દત 31 જુલાઇ, 2021 સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.