ETV Bharat / city

વિજય રૂપાણી 7 ઓગષ્ટે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ કરશે પૂર્ણ, ઉજવણીની તૈયારીઓ શરૂ

સક્રિય રાજનીતિમાં અડધી સદી જેટલો સમય વીતાવનારા વિજય રમણિકલાલ રૂપાણીએ 7 ઓગષ્ટ 2016ના રોજ ગુજરાતના 16માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. આનંદીબેન પટેલે 3 ઓગષ્ટ 2016નું રાજીનામું આપ્યા બાદ તેમને વાહનવ્યવહાર પ્રધાનમાંથી સીધા જ રાજ્યના મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. આગામી 7 ઓગષ્ટ 2021ના રોજ વિજય રૂપાણી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરશે. મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનારા તેઓ ત્રીજા મુખ્યપ્રધાન હશે.

author img

By

Published : Jul 14, 2021, 5:21 PM IST

વિજય રૂપાણી 7 ઓગષ્ટે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ કરશે પૂર્ણ
વિજય રૂપાણી 7 ઓગષ્ટે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ કરશે પૂર્ણ
  • 7 ઓગસ્ટે વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરશે
  • 3 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું
  • 5 વર્ષમાં કરાયેલા કાર્યો બાબતે યોજવામાં આવી મહત્વની બેઠક

ગાંધીનગર : પાટીદાર આંદોલન (Patidar Andolan) બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે 3 ઓગસ્ટ 2016ના રોજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને 7 ઓગસ્ટ 2016ના દિવસે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે 7 ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરતા આજે બુધવારે કેબિનેટ બેઠક બાદ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

સતત 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન

પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. આમ તેમણે પાંચ વર્ષ અને ૨૯ દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ ૧૯૯૦ સુધી 83 દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનારા મુખ્યપ્રધાન બનશે.

5 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવશે ઉજવણી

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરનારા વિજય રૂપાણીના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો અને સિદ્ધિઓને લઈને ખાસ ઉજવણી કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. જેનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

વાહનવ્યવહાર પ્રધાનથી સીધા મુખ્યપ્રધાન

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જવાથી આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ પાટીદાર આંદોલન અને અન્ય કારણોસર તેમને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આનંદીબેન પટેલની સરકારમાં વાહન વ્યવહાર પ્રધાન તરીકે ફરજ બજાવતાં વિજય રૂપાણીની સીધી મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવી હતી.

  • 7 ઓગસ્ટે વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરશે
  • 3 ઓગસ્ટ 2016ના રોજ આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું હતું
  • 5 વર્ષમાં કરાયેલા કાર્યો બાબતે યોજવામાં આવી મહત્વની બેઠક

ગાંધીનગર : પાટીદાર આંદોલન (Patidar Andolan) બાદ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે 3 ઓગસ્ટ 2016ના રોજ સોશ્યિલ મીડિયાના માધ્યમથી પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી અને ત્યારબાદ ગુજરાતના નવા મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી અને 7 ઓગસ્ટ 2016ના દિવસે વિજય રૂપાણીએ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. હવે 7 ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરતા આજે બુધવારે કેબિનેટ બેઠક બાદ એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગણપત વસાવા, સૌરભ પટેલ અને પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.

સતત 5 વર્ષ પૂર્ણ કરનારા ત્રીજા મુખ્યપ્રધાન

પત્રકારમાંથી મુખ્યપ્રધાન બનેલા કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકી 7 જૂન 1980થી 10 માર્ચ 1985 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે રહ્યા હતા. આમ તેમણે પાંચ વર્ષ અને ૨૯ દિવસ સુધી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ત્યારબાદ તેમણે 10 ડિસેમ્બર 1989થી 3 માર્ચ ૧૯૯૦ સુધી 83 દિવસ સુધી મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. માધવસિંહ સોલંકી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ હાલના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનારા મુખ્યપ્રધાન બનશે.

5 વર્ષ પૂર્ણ થતા કરવામાં આવશે ઉજવણી

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે 5 વર્ષ પૂર્ણ કરનારા વિજય રૂપાણીના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન કરેલા કાર્યો અને સિદ્ધિઓને લઈને ખાસ ઉજવણી કરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટરોને સૂચના પણ આપવામાં આવશે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 5 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે. જેનો સત્તાવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

વાહનવ્યવહાર પ્રધાનથી સીધા મુખ્યપ્રધાન

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી બાદ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રમાં જવાથી આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ પાટીદાર આંદોલન અને અન્ય કારણોસર તેમને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે આનંદીબેન પટેલની સરકારમાં વાહન વ્યવહાર પ્રધાન તરીકે ફરજ બજાવતાં વિજય રૂપાણીની સીધી મુખ્યપ્રધાન તરીકે જાહેરાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.