ETV Bharat / city

28 દિવસમાં રાજ્ય ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા હેઠળ 12,67,000 ફોર્મ મળ્યાં

author img

By

Published : Sep 9, 2022, 7:18 PM IST

Updated : Sep 9, 2022, 7:41 PM IST

ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં વર્ષાંતે યોજાવા જઇ રહેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે વહીવટી કાર્યો હાથ ધરેલાં છે. જેમાં નવા મતદારોની નામ નોંધણી સહિતની વિવિધ કામગીરીને લઇ મહત્ત્વના આંકડા સામે આવ્યાં હતાં. રાજ્ય ચૂંટણી પંચને 28 દિવસમાં મતદારયાદી સુધારણા હેઠળ કુલ 1267000 ફોર્મ મળ્યાં છે. State Election Commission Received 1267000 forms , Electoral Roll Reform , Gujarat Assembly Election 2022 , Gujarat new voter list release date , Voter List Reform Process

28 દિવસમાં રાજ્ય ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા હેઠળ 1267000 ફોર્મ મળ્યાં
28 દિવસમાં રાજ્ય ચૂંટણી પંચની મતદારયાદી સુધારણા હેઠળ 1267000 ફોર્મ મળ્યાં

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ને ( Gujarat Assembly Election 2022 ) અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 1 ઓક્ટોબર 2022 રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ( Electoral Roll Reform ) દરમિયાન આપી શકાય છે. મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નંબર 8માં 4.90 લાખથી વધુ ( Voter List Reform Process )અરજીઓ મળી છે.

મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) 12 મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.21 મી અને28મી ઓગસ્ટ તથા તા.04 થી અને 11મી સપ્ટેમ્બર 2022ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

આટલા પ્રકારના સુધારા થયાં જે અંતર્ગત તા.12મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 51,782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 12,67,421 ફોર્મ ( State Election Commission Received 1267000 forms ) સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 5,92,193 ફોર્મ નં.6 તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી 4,90,164 ફોર્મ નં.08 સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ 48,04,273 મતદારોએ મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.

રવિવાર દરમ્યાન ખાસ ઝૂંબેશ છેલ્લા ત્રણ રવિવાર દરમિયાન ખાસ ઝુંબેશના ઉપક્રમે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને બુથ લેવલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા મતદારો કે નવા મતદાર તરીકે નામ નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે વધુ એક તક મળવાની છે.

ચોથો અને અંતિમ તબક્કો યોજાશે આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.

નવી સુધારેલી આખરી મતદારયાદી આ તારીખે થશે જાહેર મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. તા.11મી સપ્ટેમ્બર 2022 સુધીમાં મળેલી અરજીઓના આધારે મતદારયાદીના મુસદ્દામાં દર્શાવેલ મતદારની વિગતોમાં ફેરફાર કરીને નવી સુધારેલી આખરી મતદારયાદી ( Gujarat new voter list release date ) તા.10મી ઓકટોબર 2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022ને ( Gujarat Assembly Election 2022 ) અનુલક્ષીને મતદારયાદીને અદ્યતન બનાવવા ભારતના ચૂંટણી પંચની સુચનાનુસાર 12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2022 દરમિયાન ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે 1 ઓક્ટોબર 2022 રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા, મતદારયાદીમાં નોંધાયેલી એન્ટ્રીમાં કોઇ સુધારો કરાવવો હોય, મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવો હોય કે પછી નામ કમી કરાવવું હોય તો તેની અરજીઓ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ( Electoral Roll Reform ) દરમિયાન આપી શકાય છે. મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરાવવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ફોર્મ નંબર 8માં 4.90 લાખથી વધુ ( Voter List Reform Process )અરજીઓ મળી છે.

મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ (SSR) 12 મી ઓગસ્ટથી શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તા.21 મી અને28મી ઓગસ્ટ તથા તા.04 થી અને 11મી સપ્ટેમ્બર 2022ના ચાર રવિવાર ખાસ દિવસ તરીકે જાહેર કરી મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા મળેલ અરજીઓનો નિકાલ કરી મતદાર યાદીને અદ્યતન કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

આટલા પ્રકારના સુધારા થયાં જે અંતર્ગત તા.12મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર સુધીમાં રાજ્યભરમાં મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓના 51,782 બુથ પર બુથ લેવલ ઑફિસર્સ તથા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ દ્વારા મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરવા તેમજ સ્થળાંતર/સુધારા માટે 12,67,421 ફોર્મ ( State Election Commission Received 1267000 forms ) સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં નવા મતદાર તરીકેની નોંધણી માટે 5,92,193 ફોર્મ નં.6 તથા સ્થળાંતરના કારણે સરનામુ બદલવા, મતદારયાદીમાં હાલ નોંધાયેલી વિગતોમાં ફેરફાર કરવા, સુધારા વિના જૂનાને બદલે નવું EPIC (મતદાર ઓળખપત્ર) મેળવવા તથા દિવ્યાંગ તરીકે નોંધ કરાવવા ઈચ્છતા નાગરિકો પાસેથી 4,90,164 ફોર્મ નં.08 સ્વીકારવામાં આવ્યા હતા. તેમજ 48,04,273 મતદારોએ મતદાર યાદીમાં નોંધાયેલી પોતાની વિગતો સાથે આધાર નંબર લિંક કરાવ્યો હતો.

રવિવાર દરમ્યાન ખાસ ઝૂંબેશ છેલ્લા ત્રણ રવિવાર દરમિયાન ખાસ ઝુંબેશના ઉપક્રમે રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર તેમજ મતદાર નોંધણી અધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈને બુથ લેવલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મતદારયાદીની વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા મતદારો કે નવા મતદાર તરીકે નામ નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે વધુ એક તક મળવાની છે.

ચોથો અને અંતિમ તબક્કો યોજાશે આગામી તા.11મી સપ્ટેમ્બરને રવિવારના રોજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ચોથો અને અંતિમ તબક્કો યોજાનાર છે. જેમાં નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ પદનામિત અધિકારીઓ દ્વારા સવારના 10 કલાકથી સાંજના 5 કલાક સુધી મતદાર યાદીમાં નામ દાખલ કરવા કમી કરવા કે સુધારો અથવા ફેરફાર કરવા અરજીઓ સ્વીકારવામાં આવશે.

નવી સુધારેલી આખરી મતદારયાદી આ તારીખે થશે જાહેર મતદારો નિયોજીત સ્થળો અને મતદાન મથકોએ સબંધિત ભાગની મતદારયાદીનો મુસદ્દો જોઈ શકશે. સાથે જ મુસદ્દા મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારો કરવા અરજી ફોર્મ મેળવી અને ભરેલું ફોર્મ રજૂ કરી શકશે. રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલા બુથ લેવલ એજન્ટ (BLA) ના સહકારથી મતદારયાદીના મુસદ્દાની ચકાસણી કરી ક્ષતિ પણ શોધવામાં આવશે. તા.11મી સપ્ટેમ્બર 2022 સુધીમાં મળેલી અરજીઓના આધારે મતદારયાદીના મુસદ્દામાં દર્શાવેલ મતદારની વિગતોમાં ફેરફાર કરીને નવી સુધારેલી આખરી મતદારયાદી ( Gujarat new voter list release date ) તા.10મી ઓકટોબર 2022ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

Last Updated : Sep 9, 2022, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.