ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા જમીન રી-સર્વેની કામગીરી(Land re-survey operation) હાથ ધરવામાં આવી છે, જેમાં પાંચ લાખથી વધુ વાંધા જનક અરજી આવવાના કારણે સમય મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા વધારો(Extension of land re-survey period in state) કરવામાં આવ્યો છે. રાજ્યના મહેસૂલ પ્રધાન ત્રિવેદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં જમીન રી-સર્વેની કામગીરીમાં એક વર્ષની મુદ્દતમાં વધારો(One year extension in re-survey period) કરવામાં આવ્યો છે, જે વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત રાજ્યની તમામ પ્રકારની જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવશે.
10 જિલ્લામાં રી સર્વે કામગીરી બાકી
રાજેન્દ્ર ત્રિવેદી વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જિલ્લાઓમાં જમીન રીસર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ પૂર્ણ થયા બાદ એક મહિના માટે તમામ જિલ્લાઓમાં જો કોઈ પણ ખેડૂતોને અથવા જમીન ખાતેદાર ને વાંધો હોય તો એક મહિનાની અંદર સીધી અરજી કરી શકે છે. જે બાબતે 10 જિલ્લામાં અનેક અરજીઓ સામે આવી છે તેમાં આ તમામ જગ્યા ઉપર રી-સર્વે બાદ પાંચ લાખથી વધુ અરજીઓ સામે આવી છે, જેને ધ્યાનમાં લઇને આ તમામ જગ્યાઓ ઉપર સઘળી કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાંથી અત્યારે હાલમાં એક લાખ જેટલી અરજીઓની જ કામગીરી બાકી છે.
ક્યાં કેટલી અરજીઓ બાકી
જિલ્લાનું નામ | અરજીઓ બાકી |
બનાસકાંઠા | 20,187 |
મહેસાણા | 19,984 |
દ્વારકા | 14,947 |
જામનગર | 13,283 |
સુરેન્દ્રનગર | 7173 |
સાબરકાંઠા | 6133 |
અરવલ્લી | 5662 |
વલસાડ | 5259 |
નવસારી | 4514 |
જૂનાગઢ | 4024 |
90 ટકા કામગીરી પૂર્ણ
રાજ્યમાં ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, તમામ ખાતેદારો ખેડૂતોને અને ખાનગી જમીન માલિકોને પણ જમીનના તમામ દસ્તાવેજો રી-સર્વે કરીને સોંપી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 7/12ના ઉતારા પણ આપી દેવામાં આવ્યો છે, રાજ્ય સરકાર દ્વારા જમીનની માપણી સંપૂર્ણ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને અને ફિલ્ડમાં જઈને જ કરવામાં આવી હોવાનું નિવેદન પણ આપ્યું હતું. આ માપણી બાદ કુલ 95 લાખ સર્વે નંબર માલિકોને આપી દેવામાં આવ્યા છે અને માપણી કરાવ્યા પછી કુલ 5,28,000 જેટલી વાંધા જનક અરજીઓ પ્રાપ્ત થઈ છે.
67 ગામ ક્લસ્ટર તરીકે જાહેર
રી-સર્વેની કામગીરી બાદ જેતે ખાતેદાર ખેડૂતોને કોઈ પણ પ્રકારની સમસ્યા અથવા તો વાંધા હોય તો તેઓ સીધી અરજી કરી શકે તે માટે openfoam રાખવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ અરજીઓ પ્રાપ્ત થઇ હોય તેવા ગામને એક વિશિષ્ટ ગામ તરીકે જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યમાં અત્યારે કુલ ૬૮ જેટલા ગામમાં તરીકે ગણવામાં આવી રહ્યા છે, જેમાંથી 40,000 અરજીઓ માંથી કુલ 38,000 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Rajendra Trivedi visits Rajkot : મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ભ્રષ્ટાચારી ઓફિસરોને આપ્યો શબક