ETV Bharat / city

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની વિધાનસભા ગૃહમાં રસ્તાઓના કાર્યોને લઈને મહત્વની વાત

author img

By

Published : Mar 22, 2021, 8:54 PM IST

Updated : Mar 22, 2021, 9:07 PM IST

માર્ગ અને મકાન વિભાગની અંદાજપત્રીય માંગણીઓમાં તે વિભાગના પ્રધાન તેમજ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વની નવી જાહેરાતો કરી હતી. અમદાવાદ-દહેગામ-ધનસુરાના બાકી રહેતા 38 કિલોમીટરના રસ્તાનું 190 કરોડના રૂપિયાના ખર્ચે ચાર માર્ગીયકરણ કરવામાં આવશે. 10 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાને ઓછામાં ઓછા 5.5 મીટર પહોળો કરવામાં આવશે.

10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાઓ 5.5 મીટર પહોળા થશે
10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાઓ 5.5 મીટર પહોળા થશે
  • 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાઓ 5.5 મીટર પહોળા થશે
  • ગાંધીનગરમાં PDPU જંકશન પર ફ્લાયઓવર બ્રીજ બનશે
  • રાજ્યમાં સ્ટેટ હાઇવે અને જિલ્લા માર્ગોને દર પાંચ વર્ષે રિસરફેસ કરાશે
  • ફાટક હશે ત્યા અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ બનાવાશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ-દહેગામ-ધનસુરાના બાકી રહેતા 38 કિલોમીટરના રસ્તાનું 190 કરોડના રૂપિયાના ખર્ચે ચાર માર્ગીયકરણ કરવામાં આવશે. 10 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાને ઓછામાં ઓછા 5.5 મીટર પહોળો કરવામાં આવશે. ગાંધીનગર-કોબાના રસ્તા ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે PDPU જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનશે. રાજ્યમાં જયાં નર્મદા કેનાલને ક્રોસ કરતા હોય ત્યાં હયાત તમામ સાંકડા બ્રીજને રસ્તાની પહોળાઇ મુજબના બનાવવામાં આવશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

આ પણ વાંચોઃ કોરોનાને લઈને વિધાનસભા સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી: નીતિન પટેલ

ગુજરાત ફાટક મુક્ત બનશે

લોકસભામાં ચૂંટાયેલા તમામ 26 સંસદસભ્યને તેમના મતવિસ્તારના રસ્તાઓ માટે 2 કરોડ રૂપિયાના જોબ નંબર ફાળવવામાં આવશે. તેમજ રાજ્ય ધોરીમાર્ગ તથા મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાના રસ્તાઓને દર પાંચ વર્ષે રી-સરફેસીંગ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાત ફાટક મુક્ત બનશે. જ્યાં ફાટક હશે ત્યાં ફાટકની નીચે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી ધીમીગતીએ

  • 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાઓ 5.5 મીટર પહોળા થશે
  • ગાંધીનગરમાં PDPU જંકશન પર ફ્લાયઓવર બ્રીજ બનશે
  • રાજ્યમાં સ્ટેટ હાઇવે અને જિલ્લા માર્ગોને દર પાંચ વર્ષે રિસરફેસ કરાશે
  • ફાટક હશે ત્યા અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ બનાવાશેઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ-દહેગામ-ધનસુરાના બાકી રહેતા 38 કિલોમીટરના રસ્તાનું 190 કરોડના રૂપિયાના ખર્ચે ચાર માર્ગીયકરણ કરવામાં આવશે. 10 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાને ઓછામાં ઓછા 5.5 મીટર પહોળો કરવામાં આવશે. ગાંધીનગર-કોબાના રસ્તા ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે PDPU જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનશે. રાજ્યમાં જયાં નર્મદા કેનાલને ક્રોસ કરતા હોય ત્યાં હયાત તમામ સાંકડા બ્રીજને રસ્તાની પહોળાઇ મુજબના બનાવવામાં આવશે.

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

આ પણ વાંચોઃ કોરોનાને લઈને વિધાનસભા સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી: નીતિન પટેલ

ગુજરાત ફાટક મુક્ત બનશે

લોકસભામાં ચૂંટાયેલા તમામ 26 સંસદસભ્યને તેમના મતવિસ્તારના રસ્તાઓ માટે 2 કરોડ રૂપિયાના જોબ નંબર ફાળવવામાં આવશે. તેમજ રાજ્ય ધોરીમાર્ગ તથા મુખ્ય જિલ્લા માર્ગ કક્ષાના રસ્તાઓને દર પાંચ વર્ષે રી-સરફેસીંગ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાત ફાટક મુક્ત બનશે. જ્યાં ફાટક હશે ત્યાં ફાટકની નીચે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગર જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી ધીમીગતીએ

Last Updated : Mar 22, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.