ETV Bharat / city

પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો: DGP - સીએમ વિજય રુપાણી

આગામી સમયમાં પરશુરામ જયંતી અને રમજાન માસ આવતાં હોવાને લઈને શિવાનંદ ઝાએ કહ્યું કે, આ કપરી પરિસ્થિતિમાં લોકો ધાર્મિક સ્થળે ન જતાં, ઘરેથી જ બંદગી કરે તેવો સંદેશ લોકોને આપો. આ સમયે અન્ય કોઈ સ્થળોએ પણ જમવા માટે સાથે ભેગા થવાનું ટાળીને આ સંક્રમણથી બચવાનો પ્રયાસ કરે. આ સમય પૂરતું સામાજિક અંતર જાળવીને સંક્રમણથી તમારી જાત અને અન્યને બચાવવાનો છે.

પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો : DGP
પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો : DGP
author img

By

Published : Apr 22, 2020, 7:51 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાવાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા. લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓના સામાનની હેરફેર કરતા વાહનોની મુક્તિની આડશમાં, આ વ્યવસ્થાનો ગેરલાભ લઈને કેટલાક લોકો ગુનાઇત પ્રવૃતિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. મુક્તિનો ગેરલાભ લઈને દારૂની મોટાપાયે હેરફેર કરતા બે ગુનાઓ પોલીસે દાખલ કર્યા છે. આ પૈકીના એક ગુનામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સેનિટાઇઝર લઇ આવવા હરિયાણાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી સાથેના પત્રની આડમાં - 'Essential Service' નું સ્ટીકર લગાવીને લઇ જવાતો રૂ.11.40 લાખનો દારૂ પકડીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે બીજા કિસ્સામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ઉપર પંજાબના એક જિલ્લાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટનો મંજૂરી પત્ર બતાવીને શાકભાજીની હેરફેરનું બહાનું ધરીને રૂ.16.80 લાખનો લઇ જવાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો છે.

પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો : DGP
તબલીગી જમાતના વધુ ચાર વ્યક્તિઓની સામે ગુના નોંધ્યા છે. બોટાદની એક વ્યક્તિ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતેથી ફ્રૂટના ટ્રકમાં બેસીને બોટાદ આવતા પકડી પાડવામાં આવી છે. આ વ્યક્તિને રાજ્યમાં પરત લાવવામાં મદદ કરનારા તેના પિતા, ટ્રક ડ્રાઈવર અને તેમના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના 12 લોકો આણંદ જિલ્લાના બોરસદ ખાતે એક મકાનમાં કોરન્ટાઇન થયા હતા, જે પૈકીની બે વ્યક્તિ સુરેન્દ્રનગર પરત આવતા તેને પકડી લેવામાં આવી છે. વળી, ગાંધીનગર ખાતે મહારાષ્ટ્રના ભુસાવલથી પરત આવેલી તબલીગી જમાતની એક વ્યકતિની પણ ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. તબલીગી ઉપરાંત સુરા જમાતના લોકો સામે 15 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજા રાજ્યમાં ગયેલા લોકો ગુજરાતમાં પરત ફરવા માટે ઘણુંખરું ફ્રૂટના ટ્રક્સનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતા પોલીસ આ દિશામાં ચેકીંગ વધારે કડક બનાવ્યું છે.અમદાવાદ, સૂરત અને રાજકોટમાં કર્ફ્યુ ભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 147, 129 અને 90 ગુનાઓ નોંધીને ક્રમવાર 178, 148 અને 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 154 ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં 264 લોકોની અટકાયત કરવામાં આવી હતી. વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 288 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7533 ગુના દાખલ કરીને 15587 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 55 ગુના નોંધીને 78 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં 1390 ગુના નોંધી 2274 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. સોશિયલ મીડિયા દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇ કાલે 16 ગુના મળી અત્યાર સુધીમાં 402 ગુના દાખલ કરીને 767 આરોપીની અટકાયત કરી છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 94 અને 52 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 326 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 15 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં 198 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યામા 21 એપ્રિલથી આજ સુધીના કુલ 1780 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુના(IPC 269, 270, 271)ની સંખ્યા 774 તથા 438 અન્ય ગુનાઓ (રાયોટીંગ/ Disaster Management Actના) અંતર્ગત કુલ 3622 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 2361 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાવાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકો ભેગા થવાનો પ્રયાસ કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. આ અગાઉ રામનવમી તથા હનુમાન જયંતીના તહેવારોમાં પણ પોલીસે લોકોને પૂજા-અર્ચના માટે ભેગા થવા દીધા ન હતા અને જ્યાં આ અંગેની માહિતી પ્રાપ્ત થઇ હતી, ત્યાં ગુના પણ દાખલ કર્યા હતા. લોકડાઉન દરમિયાન જીવનજરૂરી ચીજવસ્તુઓના સામાનની હેરફેર કરતા વાહનોની મુક્તિની આડશમાં, આ વ્યવસ્થાનો ગેરલાભ લઈને કેટલાક લોકો ગુનાઇત પ્રવૃતિઓ કરતા હોવાનું સામે આવ્યું છે. મુક્તિનો ગેરલાભ લઈને દારૂની મોટાપાયે હેરફેર કરતા બે ગુનાઓ પોલીસે દાખલ કર્યા છે. આ પૈકીના એક ગુનામાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સેનિટાઇઝર લઇ આવવા હરિયાણાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી સાથેના પત્રની આડમાં - 'Essential Service' નું સ્ટીકર લગાવીને લઇ જવાતો રૂ.11.40 લાખનો દારૂ પકડીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જયારે બીજા કિસ્સામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ઉપર પંજાબના એક જિલ્લાના ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટનો મંજૂરી પત્ર બતાવીને શાકભાજીની હેરફેરનું બહાનું ધરીને રૂ.16.80 લાખનો લઇ જવાતો દારૂ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝબ્બે કરવામાં આવ્યો છે.

પરશુરામ જયંતી, રમઝાન માસમાં ઘરે જ રહી પૂજા અને બંદગી કરો : DGP
તબલીગી જમાતના વધુ ચાર વ્યક્તિઓની સામે ગુના નોંધ્યા છે. બોટાદની એક વ્યક્તિ મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતેથી ફ્રૂટના ટ્રકમાં બેસીને બોટાદ આવતા પકડી પાડવામાં આવી છે. આ વ્યક્તિને રાજ્યમાં પરત લાવવામાં મદદ કરનારા તેના પિતા, ટ્રક ડ્રાઈવર અને તેમના માલિક સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરના 12 લોકો આણંદ જિલ્લાના બોરસદ ખાતે એક મકાનમાં કોરન્ટાઇન થયા હતા, જે પૈકીની બે વ્યક્તિ સુરેન્દ્રનગર પરત આવતા તેને પકડી લેવામાં આવી છે. વળી, ગાંધીનગર ખાતે મહારાષ્ટ્રના ભુસાવલથી પરત આવેલી તબલીગી જમાતની એક વ્યકતિની પણ ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. તબલીગી ઉપરાંત સુરા જમાતના લોકો સામે 15 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજા રાજ્યમાં ગયેલા લોકો ગુજરાતમાં પરત ફરવા માટે ઘણુંખરું ફ્રૂટના ટ્રક્સનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતા પોલીસ આ દિશામાં ચેકીંગ વધારે કડક બનાવ્યું છે.અમદાવાદ, સૂરત અને રાજકોટમાં કર્ફ્યુ ભંગના ગઈકાલથી આજદિન સુધીમાં અનુક્રમે 147, 129 અને 90 ગુનાઓ નોંધીને ક્રમવાર 178, 148 અને 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં CCTV મારફત 154 ગુનાઓ નોંધીને આજદિન સુધીમાં 264 લોકોની અટકાયત કરવામાં આવી હતી. વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 288 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7533 ગુના દાખલ કરીને 15587 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 55 ગુના નોંધીને 78 લોકોની અટકાયત કરતાં આજસુધીમાં 1390 ગુના નોંધી 2274 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે. સોશિયલ મીડિયા દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઇ કાલે 16 ગુના મળી અત્યાર સુધીમાં 402 ગુના દાખલ કરીને 767 આરોપીની અટકાયત કરી છે. વિડીઓગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 94 અને 52 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ANPR દ્વારા આજદિન સુધીમાં 326 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે. કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત 15 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આજદિન સુધીમાં 198 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યામા 21 એપ્રિલથી આજ સુધીના કુલ 1780 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુના(IPC 269, 270, 271)ની સંખ્યા 774 તથા 438 અન્ય ગુનાઓ (રાયોટીંગ/ Disaster Management Actના) અંતર્ગત કુલ 3622 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 2361 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.