ETV Bharat / city

રાજ્યમાં 298 પોઝિટિવ કેસ, 1નું મોત, રિકવરી રેટ 97.05 ટકા

author img

By

Published : Feb 2, 2021, 8:10 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 298 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે , જ્યારે 406 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. તો આ સાથે જ રાજ્યોનો રિકવરી રેટ 97.05 ટકા જેટલો નોંધાયો છે.

કોરોનાની વેક્સિન
કોરોનાની વેક્સિન
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 323 પોઝિટિવ કેસ
  • છેલ્લા 24 કલાકમાં 1 ના મોત
  • રાજ્યમાં રિકવરી 97.5 ટકા થયો
  • 34,440 વ્યક્તિઓને પોતાનાની રસી અપાઇ

ગાંધીનગર : દિવાળી બાદ કોરોના ની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્ય માં હવે ફરીથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 298 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે , જ્યારે 406 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે.તો આ સાથે જ રાજ્યોનો રિકવરી રેટ 97.05 ટકા જેટલો નોંધાયો છે.

બરોડામાં રસીની આડ અસર, પણ સરકારી ચોપડે નહિવત

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 807 કેન્દ્ર ઉપર 34,440 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,51,904 લોકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બરોડામાં 15 જેટલા પોલીસ કર્મચારીઓને રસીકરણ બાદ આડ અસર જોવા મળી છે, પરંતુ સરકારી ચોપડે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ 3341 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 30 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 3311 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે 4388 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે, બરોડા કોર્પોરેશનમાં 65 જેટલા નોંધાયા છે. ત્યારબાદ અમદાવાદમાં 63 સુરતમાં 35 અને રાજકોટ કોર્પોરેશનમાં 32 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 323 પોઝિટિવ કેસ
  • છેલ્લા 24 કલાકમાં 1 ના મોત
  • રાજ્યમાં રિકવરી 97.5 ટકા થયો
  • 34,440 વ્યક્તિઓને પોતાનાની રસી અપાઇ

ગાંધીનગર : દિવાળી બાદ કોરોના ની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી પરંતુ સરકારના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્ય માં હવે ફરીથી કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 298 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે , જ્યારે 406 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે.તો આ સાથે જ રાજ્યોનો રિકવરી રેટ 97.05 ટકા જેટલો નોંધાયો છે.

બરોડામાં રસીની આડ અસર, પણ સરકારી ચોપડે નહિવત

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બાબતે માહિતી આપવામાં આવી હતી, જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 807 કેન્દ્ર ઉપર 34,440 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3,51,904 લોકોને રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બરોડામાં 15 જેટલા પોલીસ કર્મચારીઓને રસીકરણ બાદ આડ અસર જોવા મળી છે, પરંતુ સરકારી ચોપડે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યમાં મંગળવાર સુધીમાં કુલ 3341 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 30 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 3311 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,54,109 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે 4388 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે, બરોડા કોર્પોરેશનમાં 65 જેટલા નોંધાયા છે. ત્યારબાદ અમદાવાદમાં 63 સુરતમાં 35 અને રાજકોટ કોર્પોરેશનમાં 32 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.