ETV Bharat / city

Corona Positive cases: રાજ્યમાં 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 176

author img

By

Published : Oct 8, 2021, 8:26 PM IST

રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ઓક્ટોબર માસની 8 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં Corona Positive cases નોંધાયા છે.

Corona Positive cases: રાજ્યમાં 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 176
Corona Positive cases: રાજ્યમાં 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 176
  • રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો, છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા
  • 22 દર્દીઓ કોરોનાને માત આપી, સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
  • અમદાવાદમાં 05 બરોડા 01 સુરતમાં 03 અને રાજકોટ 01 કેસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યાર બાદ જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યાં હતાં અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આજે ઓક્ટોબર માસની 8 તારીખે સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં નવા કોરોના કેસ (Corona Positive cases) નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 5 જેવા કે વલસાડ, જામનગર, રાજકોટ, સુરત અને જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા, રાજકોટ અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ (Corona Positive cases) નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,30,094 નાગરિકોને વેકસીન અપાઈ
08 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 4,30,094 નાગરિકોને (Corona Vaccine) વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,00,713 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 1,97,847 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં કુલ 6,37,58,795 નાગરિકોનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે

રાજ્યમાં એક્ટિવ કેસ 176
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 176 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 172 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 10,085 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે કુલ 8,15,838 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ, 318 મોત

આ પણ વાંચોઃ AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ

  • રાજ્યમાં કોરોના કેસમાં ધીમી ગતિએ વધારો, છેલ્લા 24 કલાકમાં 19 પોઝિટિવ કેસ નોંધાયા
  • 22 દર્દીઓ કોરોનાને માત આપી, સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
  • અમદાવાદમાં 05 બરોડા 01 સુરતમાં 03 અને રાજકોટ 01 કેસ

ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યાં હતાં ત્યાર બાદ જૂન જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યાં હતાં અને કોરોના સંક્રમણ કાબૂ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી. પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. આજે ઓક્ટોબર માસની 8 તારીખે સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કોર્પોરેશનમાં નવા કોરોના કેસ (Corona Positive cases) નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 5 જેવા કે વલસાડ, જામનગર, રાજકોટ, સુરત અને જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 19 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા, રાજકોટ અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ (Corona Positive cases) નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ વધી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 04 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 3 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 4,30,094 નાગરિકોને વેકસીન અપાઈ
08 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 4,30,094 નાગરિકોને (Corona Vaccine) વેકસીન આપવામાં આવી છે. જ્યારે 18 વર્ષથી વધુ વયના 1,00,713 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. જ્યારે 1,97,847 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો. સમગ્ર રાજ્યમાં કુલ 6,37,58,795 નાગરિકોનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે

રાજ્યમાં એક્ટિવ કેસ 176
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 176 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 04 વેન્ટિલેટર પર અને 172 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ 10,085 દર્દીના સારવાર દરમિયાન નોંધાયા છે. જ્યારે કુલ 8,15,838 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ Corona Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ, 318 મોત

આ પણ વાંચોઃ AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.