ETV Bharat / city

ગુજરાતમાં 24 કલાકમાં 998 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીના મોત

ગુજરાતમાં કોરોનાએ (Corona in Gujarat) છેલ્લા બે વર્ષનો રેકોર્ડ તોડયો છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ એક દિવસમાં નોંધાયા હતા.

author img

By

Published : Feb 16, 2022, 10:20 AM IST

ગુજરાતમાં 24 કલાકમાં 998 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીના મોત
ગુજરાતમાં 24 કલાકમાં 998 પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીના મોત

ગાંધીનગર: છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે (મંગળવારે) સમગ્ર રાજ્યમાં (Corona in Gujarat) છેલ્લા 24 કલાકમાં 998 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2454 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 16 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ વધુ નોંધાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) વિસ્તારમાં સૌથી વધુ 366 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 38, બરોડા શહેરમાં 162 અને રાજકોટમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2570 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

આજે 2,12,546 નાગરિકોને થયું રસીકરણ

ગઈકાલે (મંગળવારે) રાજ્યમાં કુલ 2,12,546 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે 18 થી 45 વર્ષથી વયના 12,561 નાગરિકોને પ્રથમ ડોઝ, 60,330 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપરાંત 15થી 18 વર્ષના 19,911 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 67,764 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 36,333 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,13,94,955 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા

રાજ્યમાં એક્ટિવ કેસ 11,195

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 11,195 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 77 વેન્ટિલેટર પર અને 11,118 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,838 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,95,295 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.19 ટકા સુધી પહોંચ્યો છે.

ગાંધીનગર: છેલ્લા કેટલાય દિવસથી સતત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે (મંગળવારે) સમગ્ર રાજ્યમાં (Corona in Gujarat) છેલ્લા 24 કલાકમાં 998 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 2454 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે. આજે 16 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે જેમાં બરોડામાં 04 દર્દીના મૃત્યુ આંક સાથે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોના કેસ વધુ નોંધાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amdavad Municipal Corporation) વિસ્તારમાં સૌથી વધુ 366 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 38, બરોડા શહેરમાં 162 અને રાજકોટમાં 20 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 2570 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 11,974 કેસ નોંધાયા, 33 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

આજે 2,12,546 નાગરિકોને થયું રસીકરણ

ગઈકાલે (મંગળવારે) રાજ્યમાં કુલ 2,12,546 નાગરિકોને વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે 18 થી 45 વર્ષથી વયના 12,561 નાગરિકોને પ્રથમ ડોઝ, 60,330 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ઉપરાંત 15થી 18 વર્ષના 19,911 બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે 67,764 બાળકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત 36,333 નાગરિકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 10,13,94,955 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona In Gujarat: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા

રાજ્યમાં એક્ટિવ કેસ 11,195

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 11,195 જેટલા એક્ટિવ કેસ છે જેમાં 77 વેન્ટિલેટર પર અને 11,118 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 10,838 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 11,95,295 દર્દીઓએ કોરોના ને માત આપી છે. જ્યારે ગુજરાત માં રિકવરી રેટ 98.19 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.