ETV Bharat / city

સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી

author img

By

Published : Sep 18, 2020, 7:21 PM IST

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા રૂપાલના 67 વર્ષિય આધેડનો સિવિલના તબીબોએ શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો હતો. આજે શુક્રવારે સવારે સિવિલ દ્વારા દર્દીના સંબંધીઓને મોત થયું હોવાના સમાચાર આપવામાં આવતા ધાડેધાડા આવ્યાં હતા. ત્યારબાદ જ્યાં સુધી તબીબ સામે કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ધરાર ના પાડવામાં આવી હતી. આખરે સત્તાધીશોએ લેખિતમાં કાર્યવાહી કરવાનું જણાવતા મામલો શાંત પડયો હતો, પરંતુ દર્દીનો રિપોર્ટ હજુ સુધી હાથમાં લાગ્યો નથી.

સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં રહેતા 67 વર્ષીય સુરેશભાઈ અંબાલાલ રામીને શ્વાસ સહિતની તકલીફ જણાતા રૂપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત 12મી સપ્ટેમ્બર રોજ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ ત્યાં નેગેટિવ આવ્યો હતો. જ્યારે 15મી સપ્ટેમ્બરના રોજ તેમને વધારે તકલીફ જણાતા રાત્રિના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમનું આજે 18મી સપ્ટેમ્બરના રોજ સવારે સિવિલ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે સાડા નવ વાગ્યાની આસપાસ મોત થયું હતું. જે બાબતે સિવિલ દ્વારા તેમના પરિવારજનોને સમાચાર આપવામાં આવતા બપોરના સમયે સિવિલમાં હોબાળો મચી ગયો હતો.

સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
મૃતકના પુત્ર અલ્પેશ રામી અને પરિવારજનોએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના ઘેરાવ કરી નાખ્યો હતો. તેમના પુત્રે હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યાં હતાં. જ્યારે ગત મોડી રાત્રે તેમનું મોત થયું હતું, જેની જાણ અમને સવારે કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા તેમનો પોઝિટિવ રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. ચાર દિવસ થયા હોવા છતાં તેમના પિતાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટિવ તે જણાવવામાં આવ્યું નથી અને તેનો રિપોર્ટ પણ અમને આપવામાં આવ્યો નથી.આ બાબતે તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને જવાબદાર તબીબો સામે પગલાં ભરવા માગ કરી હતી. ત્યારે પહેલીવાર એવું સામે આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જવાબદાર તબીબો સામે પગલાં ભરવામાં આવશે તેવું લેખિત આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણીએ આ બાબતે જણાવ્યું હતું કે સિસ્ટમ મુજબ તમામ પ્રકારની દર્દીની સારવાર કરવામાં આવી છે. તેમનો રિપોર્ટ હાથમાં આવતો નથી. તે બાબતે ચોક્કસ તંત્રની ક્યાંક ભૂલ છે જેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સામાન્ય રીતે શંકાસ્પદ દર્દીને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવતા હોય છે તેને લઈને મૃતક સુરેશભાઈને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાંં હતાં.

ગાંધીનગરઃ ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામમાં રહેતા 67 વર્ષીય સુરેશભાઈ અંબાલાલ રામીને શ્વાસ સહિતની તકલીફ જણાતા રૂપાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત 12મી સપ્ટેમ્બર રોજ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ ત્યાં નેગેટિવ આવ્યો હતો. જ્યારે 15મી સપ્ટેમ્બરના રોજ તેમને વધારે તકલીફ જણાતા રાત્રિના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમનું આજે 18મી સપ્ટેમ્બરના રોજ સવારે સિવિલ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે સાડા નવ વાગ્યાની આસપાસ મોત થયું હતું. જે બાબતે સિવિલ દ્વારા તેમના પરિવારજનોને સમાચાર આપવામાં આવતા બપોરના સમયે સિવિલમાં હોબાળો મચી ગયો હતો.

સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
મૃતકના પુત્ર અલ્પેશ રામી અને પરિવારજનોએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસના ઘેરાવ કરી નાખ્યો હતો. તેમના પુત્રે હોસ્પિટલ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલ તંત્ર દ્વારા તેમના પિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોના વોર્ડમાં દાખલ કરી દેવામાં આવ્યાં હતાં. જ્યારે ગત મોડી રાત્રે તેમનું મોત થયું હતું, જેની જાણ અમને સવારે કરવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા તેમનો પોઝિટિવ રિપોર્ટ પણ આપવામાં આવ્યો નથી. ચાર દિવસ થયા હોવા છતાં તેમના પિતાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ છે કે નેગેટિવ તે જણાવવામાં આવ્યું નથી અને તેનો રિપોર્ટ પણ અમને આપવામાં આવ્યો નથી.આ બાબતે તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને જવાબદાર તબીબો સામે પગલાં ભરવા માગ કરી હતી. ત્યારે પહેલીવાર એવું સામે આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જવાબદાર તબીબો સામે પગલાં ભરવામાં આવશે તેવું લેખિત આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.
સિવિલના તબીબોની બેદરકારી સામે આવી, કોરોના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ ખોઈ નાખ્યો, મૃતદેહ સ્વીકારવાની ના પાડી
ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નિયતિ લાખાણીએ આ બાબતે જણાવ્યું હતું કે સિસ્ટમ મુજબ તમામ પ્રકારની દર્દીની સારવાર કરવામાં આવી છે. તેમનો રિપોર્ટ હાથમાં આવતો નથી. તે બાબતે ચોક્કસ તંત્રની ક્યાંક ભૂલ છે જેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ સામાન્ય રીતે શંકાસ્પદ દર્દીને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવતા હોય છે તેને લઈને મૃતક સુરેશભાઈને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાંં હતાં.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.