ETV Bharat / city

મહાત્મા મંદિરમાં 'આઝાદી કાં અમૃત મહોત્સવ'માં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો એક જગ્યા પર રહેશે હાજર

author img

By

Published : Jun 8, 2022, 8:52 PM IST

ગાંધીનગરમાં મહાત્મા મંદિરે સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે 9થી 12 જૂન સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમા ખાસ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે CPSEsના યોગદાનને(Central Public Sector Enterprises Contribution) લઈને પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યપ્રધાન ઉદ્ઘાટન કરશે.

મહાત્મા મંદિરમાં 'આઝાદી કાં અમૃત મહોત્સવ'માં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો એક જગ્યા પર રહેશે હાજર
મહાત્મા મંદિરમાં 'આઝાદી કાં અમૃત મહોત્સવ'માં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો એક જગ્યા પર રહેશે હાજર

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ(Department of Public Enterprises) (DPE) 9 થી 12 મી જૂન, 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમોમાં 'રાષ્ટ્ર નિર્માણ અને CPSEs'(Central Public Sector Enterprises Contribution) પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 9મી જૂનના રોજ કરશે. ત્યારબાદ 10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરે સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે 9 થી 12 જૂન સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો: One Station-One Product Scheme : અમદાવાદ રેલવે સ્ટેશન પર આર્ટીશિયનો માટે શરુ કરાયા હેંડીક્રાફ્ટ સ્ટોલ્સ

આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા' પર ચર્ચા - નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત સચિવ સંજય કુમાર જૈને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયનાં 6 થી 12 જૂન સુધીના આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે યોજાઇ રહેલ આ પ્રદર્શનની સાથે 'આત્મનિર્ભર ભારત(Demonstration of a Self Reliant Nation) માટે CPSEsની ભૂમિકા' પર ચર્ચા કરવા માટે CEO ગોળમેજીનું આયોજન કરવામાં આવશે. 30 થી વધુ CPSEના CMD 9મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

વર્કશોપનો ઉદ્દેશ તમામ હિતધારકો એક મંચ પર એક સાથે લાવવાનો - મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEsની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી(Annual evaluation system), સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ-માર્કેટપ્લેસ(Government E Marketplace) (GeM) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપના ઉદ્દેશ તમામ હિતધારકો એક મંચ પર એક સાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે.

ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન - પત્રકાર પરિષદમાં ઉપસ્થિત AKAM સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના(Indian Railway Finance Corporation) મેનેજીંગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર(Mahatma Temple in Gandhinagar) ખાતે આયોજિત થઇ રહેલા પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ՙજન ઉત્સવՙ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમો વિષે વધુ જાણકારી આપતા બેનર્જીએ જણાવ્યું કે AKAM સપ્તાહ દરમિયાન, CPSEs પાન ઈન્ડિયા ‘પ્લાન્ટેશન ડ્રાઈવ’ હાથ ધરાશે જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે.આ ઉપરાંત પસંદગીના CPSE ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં(Township Mini Smart City) રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં CPSEના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રિનીયોર રહેશે હાજર - કેન્દ્રીય નાણા વિભાગના(Central Finance Department) સચિવ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના એન્ટરપ્રિન્યોરને(Entrepreneur of Small Scale Industries) પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને સમગ્ર દેશ કઈ રીતે એકસાથે આગળ વધે તે બાબતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો(Public Enterprises of the Central Government) એક જગ્યા પર હાજર રહેશે.

ગાંધીનગર: ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ(Department of Public Enterprises) (DPE) 9 થી 12 મી જૂન, 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમોમાં 'રાષ્ટ્ર નિર્માણ અને CPSEs'(Central Public Sector Enterprises Contribution) પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ 9મી જૂનના રોજ કરશે. ત્યારબાદ 10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરે સ્વતંત્રતાના 75માં વર્ષની ઉજવણી નિમિત્તે 9 થી 12 જૂન સુધી વિવિધ કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો: One Station-One Product Scheme : અમદાવાદ રેલવે સ્ટેશન પર આર્ટીશિયનો માટે શરુ કરાયા હેંડીક્રાફ્ટ સ્ટોલ્સ

આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા' પર ચર્ચા - નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત સચિવ સંજય કુમાર જૈને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે નાણાં મંત્રાલયનાં 6 થી 12 જૂન સુધીના આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે યોજાઇ રહેલ આ પ્રદર્શનની સાથે 'આત્મનિર્ભર ભારત(Demonstration of a Self Reliant Nation) માટે CPSEsની ભૂમિકા' પર ચર્ચા કરવા માટે CEO ગોળમેજીનું આયોજન કરવામાં આવશે. 30 થી વધુ CPSEના CMD 9મી જૂનના રોજ યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.

વર્કશોપનો ઉદ્દેશ તમામ હિતધારકો એક મંચ પર એક સાથે લાવવાનો - મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEsની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી(Annual evaluation system), સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ-માર્કેટપ્લેસ(Government E Marketplace) (GeM) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપના ઉદ્દેશ તમામ હિતધારકો એક મંચ પર એક સાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે.

ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન - પત્રકાર પરિષદમાં ઉપસ્થિત AKAM સમિતિના અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનના(Indian Railway Finance Corporation) મેનેજીંગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર(Mahatma Temple in Gandhinagar) ખાતે આયોજિત થઇ રહેલા પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ՙજન ઉત્સવՙ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમો વિષે વધુ જાણકારી આપતા બેનર્જીએ જણાવ્યું કે AKAM સપ્તાહ દરમિયાન, CPSEs પાન ઈન્ડિયા ‘પ્લાન્ટેશન ડ્રાઈવ’ હાથ ધરાશે જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે.આ ઉપરાંત પસંદગીના CPSE ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં(Township Mini Smart City) રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં CPSEના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: India's Renewable Energy: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનો સૌથી મોટો પાવર પરચેઝ એગ્રિમેન્ટ કર્યો

સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એન્ટરપ્રિનીયોર રહેશે હાજર - કેન્દ્રીય નાણા વિભાગના(Central Finance Department) સચિવ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના એન્ટરપ્રિન્યોરને(Entrepreneur of Small Scale Industries) પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને સમગ્ર દેશ કઈ રીતે એકસાથે આગળ વધે તે બાબતનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના તમામ જાહેર સાહસો(Public Enterprises of the Central Government) એક જગ્યા પર હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.