ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં કોરોનામાં 176 બાળકોએ માતા પિતા ગુમાવ્યા

author img

By

Published : Jul 6, 2021, 8:58 PM IST

ગાંધીનગર જિલ્લામાં કોરોના કાળમાં 176 બાળકોમાંથી કોઈ એ માતા તો કોઈએ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે. આ બાળકોમાંથી 12 બાળકો અનાથ બન્યા છે. કોરોનાની આ ગંભીર પરિસ્થિતિ સામનો આ બાળકોને પણ પોતાના માતા-પિતા ગુમાવીને કરવો પડ્યો છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી
જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી
  • ગાંધીનગરમાં 176માંથી 12 બાળકોએ માતા-પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી
  • દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા
  • દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી અપાશે

ગાંધીનગર : કોરોનામાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા આજથી નક્કી કરવામાં આવ્યું છે કે, 7 જુલાઇથી આ બાળકોને લાભ આપવામાં આવશે. 0થી 18 વર્ષ સુધીની વય જૂથના બાળકો કે જેમને માતા અને પિતા બન્નેનું કોરોનામાં અવસાન થયું છે. તેવા આ બાળકોને આ યોજનાનો લાભ આવકની મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળશે.

ગાંધીનગર જિલ્લામાં 139 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી

બાળ સુરક્ષા એકમ દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં 176માંથી 12 બાળકોએ માતા અને પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી છે. 139 બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે. 25 બાળકોની માતાનું અવસાન કોરોનામાં જ થયું છે.

દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા

અનાથ બનેલા બાળકોની તાલુકા પ્રમાણે વિગતો જોવા જઈએ તો, દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 4 બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા તો કલોલ અને માણસામાં એક-એક બાળકે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હવેથી મુખ્યપ્રધાન બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને લાભ આપવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં અનાથ બનેલા બાળકોને મળશે આ લાભો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આપવામાં આવશે. 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ આવક મર્યાદા વિના 21 વર્ષની ઉંમર સુધી મળશે.

બાળકોને કૌશલ્યવર્ધન તાલીમ પણ મળશે

21 વર્ષ અભ્યાસ ચાલુ હશે તો, 24 વર્ષની ઉંમર પૂરી થાય અથવા અભ્યાસ પૂર્ણ થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત કૌશલ્યવર્ધન તાલીમ પણ મળશે.

કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ અપાશે

આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલી કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ અપાશે. જે બાળકના એક વાલી કોરોના સમય અગાઉ અવસાન પામ્યા હોય અને બીજા વાલી કોરોના દરમિયાન અવસાન પામ્યા હોય તેવા કેસમાં પણ બાળકોને આ લાભ આપવામાં આવશે.

  • ગાંધીનગરમાં 176માંથી 12 બાળકોએ માતા-પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી
  • દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા
  • દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી અપાશે

ગાંધીનગર : કોરોનામાં માતા-પિતાના અવસાનથી અનાથ બનેલા બાળકોને આર્થિક સહાય અને અન્ય પ્રકારની યોજનાનો લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા આજથી નક્કી કરવામાં આવ્યું છે કે, 7 જુલાઇથી આ બાળકોને લાભ આપવામાં આવશે. 0થી 18 વર્ષ સુધીની વય જૂથના બાળકો કે જેમને માતા અને પિતા બન્નેનું કોરોનામાં અવસાન થયું છે. તેવા આ બાળકોને આ યોજનાનો લાભ આવકની મર્યાદાને ધ્યાને લીધા સિવાય મળશે.

ગાંધીનગર જિલ્લામાં 139 બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી

બાળ સુરક્ષા એકમ દ્વારા મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લામાં 176માંથી 12 બાળકોએ માતા અને પિતા બન્નનેની છત્રછાયા ગુમાવી છે. 139 બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા છે. 25 બાળકોની માતાનું અવસાન કોરોનામાં જ થયું છે.

દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા

અનાથ બનેલા બાળકોની તાલુકા પ્રમાણે વિગતો જોવા જઈએ તો, દહેગામ તાલુકામાં સૌથી વધુ 6 બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. જ્યારે ગાંધીનગર જિલ્લામાં 4 બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા તો કલોલ અને માણસામાં એક-એક બાળકે પોતાના માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હવેથી મુખ્યપ્રધાન બાળ સેવા યોજના અંતર્ગત બાળકોને લાભ આપવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં અનાથ બનેલા બાળકોને મળશે આ લાભો

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ દર માસે બાળક દીઠ રૂપિયા ચાર હજાર અઢાર વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી આપવામાં આવશે. 18 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજ્ય સરકારની આફ્ટર કેર યોજનાનો લાભ આવક મર્યાદા વિના 21 વર્ષની ઉંમર સુધી મળશે.

બાળકોને કૌશલ્યવર્ધન તાલીમ પણ મળશે

21 વર્ષ અભ્યાસ ચાલુ હશે તો, 24 વર્ષની ઉંમર પૂરી થાય અથવા અભ્યાસ પૂર્ણ થાય એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી આ યોજનાનો લાભ મળશે. આ ઉપરાંત કૌશલ્યવર્ધન તાલીમ પણ મળશે.

કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ અપાશે

આ સમયગાળા દરમિયાન નિરાધાર થયેલી કન્યાઓને તેમના લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજનાનો લાભ પણ અપાશે. જે બાળકના એક વાલી કોરોના સમય અગાઉ અવસાન પામ્યા હોય અને બીજા વાલી કોરોના દરમિયાન અવસાન પામ્યા હોય તેવા કેસમાં પણ બાળકોને આ લાભ આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.